શ્રી અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી અંતર્ગત વકતૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધામાં યોજાશે - At This Time

શ્રી અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી અંતર્ગત વકતૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધામાં યોજાશે


રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા શ્રી અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી અંતર્ગત જિલ્લાકક્ષાની વકતૃત્વ, નિબંધ અને ચિત્રસ્પર્ધાનું આયોજન કરવાનું નક્કી કરેલ છે. જેમાં (૧) “અ” વિભાગમાં ૧૫ વર્ષ થી ૧૯ વર્ષ સુધીના અને (૨) “બ” વિભાગમાં ૧૯થી ૩૫ વર્ષ સુધીના સ્પર્ધકો ભાગ લઇ શક્શે. જિલ્લાકક્ષાએ વિજેતા સ્પર્ધકોને પ્રથમ, દ્વીતીય અને તૃતીયસ્થાન માટે પ્રમાણપત્ર આપવામાં આવશે અને જિલ્લાકક્ષાના પ્રથમ વિજેતા સ્પર્ધકને રાજ્યકક્ષાની સ્પર્ધા માટે ક્વોલિફાઇ માનવામાં આવશે. ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ આધાર-પુરાવા સહિતની અરજી તા.૧૦/૦૧/૨૦૨૩ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, હિંમતનગર ખાતે મોકલી આપવાની રહેશે.એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી સાબરકાંઠાની અખબારી યાદીમાં જણાવાયુ છે.

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.