વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ બગડવાની ભીતિએ મોંઘીદાટ ફી ભરી ખાનગી યુનિ.માં પ્રવેશ લેવા મજબૂર બનશે: રોહિતસિંહ રાજપૂત - At This Time

વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ બગડવાની ભીતિએ મોંઘીદાટ ફી ભરી ખાનગી યુનિ.માં પ્રવેશ લેવા મજબૂર બનશે: રોહિતસિંહ રાજપૂત


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા શૈક્ષણિક વર્ષમાં અલગ અલગ વિષયોમાં પીએચડીની ચોક્કચ જગ્યાઓમાં હાલ સુધી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાવવામાં આવી ન હોવાથી પીએચડીમાં પ્રવેશ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓ મૂંજવણમાં મુકાયા છે. દર વર્ષે જે સમયગાળામાં પ્રવેશ પરીક્ષા લેવાતી તે આ વર્ષે હજુ કેમ જાહેર નથી થઈ. માટે આજરોજ વિદ્યાર્થીઓના પ્રશ્નને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ જલ્દીથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માગ કરવામાં આવી છે. અન્યથા આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.