રામનવમી પર્વ ઉજવવા મંદિરો સજ્જ બન્યા સાબરકાંઠા અને અરવલ્લીના મંદિરોમાં રામનવમીની ઉજવણી થશે - At This Time

રામનવમી પર્વ ઉજવવા મંદિરો સજ્જ બન્યા સાબરકાંઠા અને અરવલ્લીના મંદિરોમાં રામનવમીની ઉજવણી થશે


ભગવાન વિષ્ણુના અવતાર ગણાતા ભગવાન શ્રીરામનો જન્મોત્સવ આવતા સપ્તાહે આવી રહ્યો છે ત્યારે જિલ્લાના હજારો રામભક્તો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું હોવાથી દર્શન માટે આવતી કાલથી રવાના થઈ રહ્યા છે. આગામી તા.૧૭ એપ્રિલ, બુધવારના રોજ રામનવમી હોવાથી જિલ્લાના રામ મંદિરો સહિત અનેક ગામોમાં સનાતન સમાજ દ્વારા રામલલ્લાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી થવાની છે. જિલ્લાના હિંમતનગર, મોડાસા, ઈડર સહિતના વિસ્તારોમાં રામનવમી નિમિત્તે નિકળનારી શોભાયાત્રા ઉપર પણ પોલીસની ચૂસ્ત નજર રહેવાની છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.