બોટાદ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા ભવ્ય સત્સંગ સભા અને શાકોત્સવ યોજાયો. - At This Time

બોટાદ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા ભવ્ય સત્સંગ સભા અને શાકોત્સવ યોજાયો.


બોટાદ શહેરના જવાહર નગર ખાતેની પટેલ સમાજની વાડી ખાતે આજરોજ તારીખ 18 ડિસેમ્બર 2022 ના રોજ સાંજના સમયે શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ના સંસ્થાપક પૂજ્ય સદ્દગુરુ શાસ્ત્રી શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની ભવ્ય સત્સંગ સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો સત્સંગ સભાનું શ્રવણ કરવા ઉમટયા હતા, શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા સૌપ્રથમ વખત સ્વામીનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં શાકોત્સવ ઉજવાયો હતો જે પરંપરા યથાવત્ જાળવી રાખી અને એ જ પ્રકારે બોટાદ ખાતે પણ ભવ્ય દિવ્ય શાકોત્સવ ઉજવાયો હતો ત્યારે ભાવિકોએ આ શાકોત્સવ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી, આ દિવ્ય શાકોત્સવ અને સત્સંગ સભામાં મોટી સંખ્યામાં બાળકો મહિલાઓ પુરુષો સંતો સાંખ્યયોગી બહેનો ઉમટી પડ્યા હતા અને સત્સંગ સભાનો લાભ લઈ અને શાકોત્સવ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.