બોટાદની સિદ્ધિવિનાયક હોસ્પિટલની બેદરકારીને કા૨ણે નવજાત શિશુનું મોત નીપજ્યુંઃ મહિલા દર્દીના પતીએ કર્યો આક્ષેપ - At This Time

બોટાદની સિદ્ધિવિનાયક હોસ્પિટલની બેદરકારીને કા૨ણે નવજાત શિશુનું મોત નીપજ્યુંઃ મહિલા દર્દીના પતીએ કર્યો આક્ષેપ


બોટાદની સિદ્ધિવિનાયક હોસ્પિટલની બેદરકારીને કા૨ણે નવજાત શિશુનું મોત નીપજ્યુંઃ મહિલા દર્દીના પતીએ કર્યો આક્ષેપ

બોટાદઃ શહેરના પાળીયાદ રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક હોસ્પિટલ ખાતે ગઈકાલે પ્રસુતિ માટે એક કેસ આવ્યો હતો. આ કેસમાં મહિલા દર્દીના પતિ ખોડાભાઈએ મીડિયાને બોલાવી માહિતી આપી હતી કે, તેઓના પતીને પ્રસુતા પીડા ઉપડતા સારવાર માટે સિદ્ધિવિનાયક હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જે દરમિયાન ખોડાભાઈ દ્વારા વારંવાર હોસ્પિટલ સ્ટાફને જાણ ક૨વા છતાં ડોક્ટર મહિલાની તપાસ માટે આવ્યા ન હતા. તેમજ પીડા વધુ જણાતા મહિલાની તાત્કાલિક ડિલિવરી ક૨વાની જરૂરિયાત ઉભી થતા ડોક્ટરની ગેર હાજરીમા કમપાઉન્ડરે ડિલિવરી કરાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેથી તબીબની ગેર હાજરીમા ડિલિવરી કરાવી બેદરકારી દાખવવાના કારણે નવજાત શિશુનું મૃત્યુ નીપજયાનો આક્ષેપ ખોડાભાઈ દ્વારા કરવામાં આવ્યો છે. દરમિયાન ખોડાભાઈ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. ઘટનાની જાણ થતા હોસ્પિટલ ખાતે ખોડાભાઈના સગા સબંધીઓ ઉમટી પડ્યા હતા. તેમજ પોલીસને પણ જાણ કરતા પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. આ બાબતે હોસ્પિટલના ડોકટર સાથે મીડિયાએ વાત કરતા ડો. ચિરાગ અણઘણ સાથે વાત કરતા ડો. ચિરાગે જણાવ્યું હતું કે, મહિલાની ડિલિવરી ડોક્ટરની હાજરીમા જ થઇ છે તેમજ બાળકનું મૃત્યુ થવા પાછળ મેડિકલ કારણ દર્શાવી તેઓ પર થયેલા આક્ષેપોને નકાર્યા હતા. ફરિયાદી પક્ષ તરફથી જણાવવામાં આવ્યું કે ઘટનાને લઈને સમાધાન કરવાના પ્રયાસો હોસ્પિટલ વિભાગ તરફથી થઇ રહ્યા હતા.

Report,Chetan Chauhan
7878039494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.