વિસાવદર ખાતે તૃતિય સમૂહ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tfmwu5kiwzulir5p/" left="-10"]

વિસાવદર ખાતે તૃતિય સમૂહ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન


વિસાવદર ખાતે તૃતિય સમૂહ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન

રકતદાન કેમ્પ તથા લોકડાયરાની જમાવટ સાથે એક રૂડો અવસર
શ્રી પટેલ પ્રગતિ મંડળ વિસાવદર દ્વારા તા.૦૬/૧૧/૨૦૨૨ ના રોજ લેઉવા પટેલ સમાજના સમૂહ લગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.જેમાં સૌરાષ્ટ્રના સંતોના આર્શિવાદ સાથે નવદંપતિઓ પ્રભૂતામાં પગલા માંડશે. કાઠિયાવાડની ધરતીના ઘરેણાં સમાન દિવ્યધર્મની જયોત પ્રજવલિત રાખનારા સંત શિરોમણીઓ પ.પૂ. મુકતાનંદ બાપુ(ચાંપરડા),પ.પૂ. વિજયબાપુ(સતાધાર),પ.પૂ. કરસનદાસ બાપુ(પરબ ધામ)પ.પૂ. રામરૂપબાપુ(બિલખા) તથા પ.પૂ. બળવંતપૂરી બાપુ(કાદવાડી),આનંદપૂરી સ્વામી (વિસાવદર),ભકિતરામ બાપુ (ભોજલધામ),સર્વદાસબાપુ(ભવનાથ) અને અન્ય સંતો મહંતો ઉપસ્થિત રહેશે.તેમજ આ લગ્નોત્સવના મુખ્ય યજમાનશ્રી ભૂપતભાઈ સુખડીયા (અગ્રણીશ્રી - સુરત) તેમજ અનેક રાજકીય અગ્રણીઓ રાજેશ ચુડાસમા(સાંસદ -જુનાગઢ),નારણભાઈ કાછડીયા(સાંસદ -અમરેલી),પૂવૅ કૃષિ મંત્રી કનુભાઇ ભાલાળા,પૂવૅ ધારાસભ્ય હષૅદ રીબડીયા,જીલ્લા ભાજપ આગેવાન કિરીટ પટેલ,પ્રદેશ ઉપપ્રમુખ ભરત બોઘરા,તેમજ અન્ય સામાજિક અગ્રણીઓ બીપીન રામાણી,ગોવિંદભાઇ વડાલીયા,ભૂપતભાઈ ભા યાણી,અશોકભાઈ લાખાણી અને દિનેશભાઇ વેકરીયા ઉપસ્થિત રહેશે.આ મહોત્સવની સફળતા માટે શ્રી પટેલ પ્રગતિ મંડળના સક્રિય નેતૃત્વ ધરાવતા હરેશ સાવલિયા અને અરવિંદ ગોંડલીયાના માગૅદશૅન હેઠળ લેઉવા પટેલના થનગનતા યુવાનો ભારે જહેમત ઉઠાવી રહયા છે.તેમજ આ કાયૅક્રમની સાથે મહા રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે.જે વિશ્વ હિન્દુ પરિષદ ,ગોકુલ ગૌરક્ષા ટ્રસ્ટ વિસાવદર તેમજ બજરંગદળના સંયુક્ત ઉપક્રમે આયોજિત છે.કાયૅક્રમ બાદ ભવ્ય લોક ડાયરાની મોજ માણવા માટે ઉપરોકત કાયૅકરોએ ગ્રામજનોને નિમંત્રણ આપેલ છે.આ તૃતિય પરિણય સંસ્કારમાં તાલુકાના અગ્રણીઓએ પણ શુભેચ્છા સંદેશાઓ આપેલ છે.

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]