બાંભણિયા બ્લડ બેન્ક ભાવનગર અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો - At This Time

બાંભણિયા બ્લડ બેન્ક ભાવનગર અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો


બાંભણિયા બ્લડ બેન્ક ભાવનગર અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે હનુમાનજી મહારાજની જન્મ જયંતિ નિમિતે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવેલ.જેમાં જાયન્ટ્સ ગ્રુપ બોટાદ દ્વારા બાંભણીયા બ્લડ બેંક ભાવનગર સાથે મળી મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ.બાંભણિયા બ્લડ બેન્ક ભાવનગરના સહયોગથી જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ આયોજિત રક્તદાન કેમ્પ તારીખ 21, 22 અને 23 એમ ત્રણ દિવસ સુધી સવારના 8-00 વાગ્યાથી સાંજના 8-00 વાગ્યા સુધી હનુમાનજી મંદિરના પરિસરમાં રાખવામાં આવેલ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીની પ્રેરણા થકી સમગ્ર ગુજરાત,તથા અન્ય રાજ્યો સાથે વિદેશમાંથી પધારેલ ભાવિક ભક્તોએ ખૂબ જ ઉત્સાહભેર રક્તદાન કરેલ.ત્રણ દિવસનાં આ રક્તદાન શિબિરમાં ૨૮૦ જેટલી બોટલ રક્ત એકત્ર કરી જરૂરિયાતમંદ દર્દીને મળી રહે તે માટે બાંભણીયા બ્લડ બેંક ભાવનગરનાં પ્રોસેસિંગ યુનીટમાં ખાતે મોકલી આપવામાં આવેલ. હનુમાનજી દાદાના જન્મ દિને દાદાના સાનિધ્યમાં રક્તદાન કરનાર રક્ત દાતાઓએ ધન્યતા અનુભવતા હોવાનો ભાવ રજુ કરેલ.રક્તદાન કરનાર તમામ દાતાઓને બ્લડ બેન્કના સહયોગથી એક સ્મૃતિ ભેટ આપવામાં આવેલ.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.