વ્યસન બન્યું મોતનું કારણ: મોઢુ પૂરતું ખૂલતું ન હોય, કંટાળીને યુવકે આપઘાત કર્યો - At This Time

વ્યસન બન્યું મોતનું કારણ: મોઢુ પૂરતું ખૂલતું ન હોય, કંટાળીને યુવકે આપઘાત કર્યો


શહેરના રૈયાધાર માળિયા આવાસના કવાર્ટરમાં રહેતાં યુવકે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું. યુવકને ફાકી ખાવાની ટેવ હોય મોઢું પૂરતું ખૂલતું ન હોય જેથી કંટાળી યુવકે ઝેરી દવા પી લીધી હતી. સારવારમાં યુવકે દમ તોડી દિધો હતો. બનાવની વિગત મુજબ રૈયાધાર માળિયા આવાસના કવાર્ટરમાં રહેતો પ્રવિણ સામતભાઈ જાદવ (ઉ.વ.25) નામના યુવકે ગઈ કાલ સાંજે સાતેક વાગ્યાના આસપાસ બ્રહ્મસમાજ ચોક પાસે ઝેરી દવા પી લીધી હતી. બાદ ઘરે ચાલ્યો ગયો હતો. થોડો સમય બાદ યુવકને ઝેરી દવાની અસર થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવારમાં યુવકે દમ તોડી દિધો હતો. યુવક રિક્ષા ચલાવી પરીવારનું ગુજરાન ચલાવતો હતો. મૃતક બે ભાઈમાં નાનો હતો.તેમજ યુવકને ફાકી ખાવાની ટેવ હોય જેથી મોઢું પૂરુતું ખૂલતું ન હતું. જેથી યુવકે કંટાળી આપઘાત કર્યાનું પરીવારજનોએ જણાવ્યું હતું. એક ના એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં ગમગીની છવાઇ છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.