આજે કન્યા દાન સાથે રક્તદાન ના શુભ સંકલ્પ સાથે ભાવનગર જિલ્લા આહીર સમાજ દ્વારા ઉંડવી મુકામે 14 મો સમુહલગ્ન સમારોહ યોજાઈ ગયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ss45ocq2q3x9qrlr/" left="-10"]

આજે કન્યા દાન સાથે રક્તદાન ના શુભ સંકલ્પ સાથે ભાવનગર જિલ્લા આહીર સમાજ દ્વારા ઉંડવી મુકામે 14 મો સમુહલગ્ન સમારોહ યોજાઈ ગયો


ભાવનગર જિલ્લા આહીર સમાજ દ્વારા ઉંડવી મુકામે 14 મો સમુહલગ્ન સમારોહ યોજાઈ ગયો.આ સમુહલગ્ન માં 25 નવદંપતીએ પ્રભુતા માં પગલાં પાડ્યા હતા.કન્યાદાન સાથે રક્તદાન ના શુભ આશય થી થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્તદાન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 125 બોટલ રક્ત એકત્ર કરવા માં આવ્યું હતું. આ સમુહલગ્ન સમારોહ શ્રી રામભાઈ સાંગા(પ્રમુખશ્રી ભાવનગર જિલ્લા આહીર સમાજ)ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં પરમ પૂજ્ય શ્રી જીણારામબાપુ,શ્રી રઘુનંદન દાસબાપુ,શ્રી વશિષ્ટનાથ બાપુ તેમજ શ્રી પેથાભાઈ આહીર(ધોળા, પૂર્વ GIDC નિયામક), શ્રી મહેશભાઈ ખમળ(જ્ઞાતિપટેલ) સહીત જ્ઞાતિ ના શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સમુહલગ્ન માં રાજહંસ ફાર્મ ઉંડવી થી વરરાજા ના ભવ્ય સામૈયાઓ કરવામાં આવ્યા હતા. સમુહલગ્ન સમારોહ માં આહીર સમાજ ના દીકરા,દીકરીઓ એ આહીર અસ્મિતા ની શોભે તેવી વિર રસ ની વાતો તથા સમાજને શિક્ષણ માં અગ્રેસર કરવાની વાતો રજુ કરી હતિ.તેમજ રાજહંસ વિદ્યાલય ની બાળકીઓ એ અદભુત રાસ રજુ કર્યો હતો.સંતો તથા આગેવાનો એ નવદંપતી ને આશીર્વાદ પાઠવ્યા હતા.સમુહલગ્ન માં આહીર સમાજના જ્ઞાતિજનો એ બહોળા પ્રમાણમાં હાજર રહી કાર્યક્રમ દીપાવ્યો હતો. સમગ્ર સમુહલગ્ન ને સફળ બનાવવા ઉંડવી આહીર સમાજે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]