વિરપુરના પાંટા ગામના પાટિયા પાસે રાહદારીને અજાણ્યા વાહને ટક્કર મારતાં સારવાર દરમિયાન મોત.. - At This Time

વિરપુરના પાંટા ગામના પાટિયા પાસે રાહદારીને અજાણ્યા વાહને ટક્કર મારતાં સારવાર દરમિયાન મોત..


વિરપુરથી લીંબડીયા રોડ પર આવેલ પાંટા પાટિયા નજીક ખેતરમાં કામ કરી પોતાના ઘરે પરત ફરી રહેલા કાન્તિભાઈ શિવાભાઈ બારીયા ઉ. વ 53 પાંટા પાટિયા થી વિરપુર તરફ સાંજના સમય પોતેના ઘર તરફ જઈ રહ્યા હતા તે સમય કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં જમીન પર પટકાયા હતા જે દરમ્યાન માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી આજુબાજુ ના લોકો ને અને પરિવાર જનો તુરંત ઘટના સ્થળ પહોંચ્યા હતા અને તુરંત સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા ગંભીર ઇજા ના કારણે વડોદરા ની એસ એસ જી હોસ્પિટલ લાઇજવામાં આવેલ જ્યાં કાન્તીભાઈને સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું ત્યારે વિરપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહિસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.