મહીસાગર જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૨ ફેબ્રુઆરી ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યોજાશે - At This Time

મહીસાગર જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૨ ફેબ્રુઆરી ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યોજાશે


મહિસાગર જિલ્લાના પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે માન.મુખ્યમંત્રીશ્રી ધ્વારા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વ્યક્તિગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિ વિષયક તથા સેવા વિષયક સિવાયના કાર્યોનો નિકાલ સંબંધિત કચેરીમાં ન થયો હોય તેવા કાર્યોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જિલ્લાના તમામ તાલુકા માટે ફેબ્રુવારી-૨૦૨૪ નો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.૨૧/૦૨/૨૦૨૪ બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૨/૦૨/૨૦૨૪ ને ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યોજવાનો હોય માહે ફેબ્રુવારી-૨૦૨૪ માં જિલ્લા અને તાલુકાઓમાં વર્ગ -૧ કક્ષાના અધિકારીશ્રીઓ સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે,

ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો/ રજુઆત અંગેની અરજી "મારી અરજી તાલુકા અથવા જિલ્લા સ્વાગતમાં લેવી" તેવા મથાળા હેઠળ સંબંધિત ગામનાં તલાટી/ મંત્રીશ્રીને સંબોધીને ૧ થી ૧૦ તારીખ સુધીમાં આપવાની રહેશે. તા.૧૦/૦૨/૨૦૨૪ સુધીમાં મળેલ અરજીને તાલુકા તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમાં સમાવવામાં આવશે.

જિલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારશ્રીએ પોતાના વ્યક્તિગત / અંગત પ્રશ્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર તથા સંપૂર્ણ સરનામાં સાથેની એક અરજીમાં એક જ પ્રશ્ન સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીની કચેરીને કરેલી અરજીની નકલ સાથે સંબંધિત કચેરીને મોકલી આપવાની રહેશે.તેમ નિવાસી અધિક કલેકટરશ્રી મહિસાગર-લુણાવાડા ની અખબારી યાદીમા જણાવેલ છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.