છેલ્લા દસ વર્ષથી આધાર કાર્ડ અપડેટ કરાવ્યું ન હોય તેવા નાગરિકોને આધારકાર્ડ અપડેટ કરાવવા જાહેર અપીલ - At This Time

છેલ્લા દસ વર્ષથી આધાર કાર્ડ અપડેટ કરાવ્યું ન હોય તેવા નાગરિકોને આધારકાર્ડ અપડેટ કરાવવા જાહેર અપીલ


છેલ્લા દસ વર્ષથી આધાર કાર્ડ અપડેટ કરાવ્યું ન હોય તેવા નાગરિકોને આધારકાર્ડ અપડેટ કરાવવા જાહેર અપીલ

છેલ્લા દસ વર્ષથી આધારકાર્ડ ઓળખનાં પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવ્યું છે.આધારકાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે.ત્યારે યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડીયા(યુ.આઇ.ડી.એ.આઈ) ભારત સરકારની તા.૧૧-૦૩-૨૦૨૪ની યાદી મુજબ જે રહેવાસીઓએ ૧૦ વર્ષથી વધુ સમય પહેલા આધારકાર્ડ કઢાવ્યું હોય અને આ સમયગાળા દરમિયાન કોઈ ડેમોગ્રાફિક(ઓળખ અને રહેઠાણના પુરાવા)આધારમાં અપડેટ કરવામાં આવ્યા ન હોય તેવા રહેવાસીઓએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલા દસ્તાવેજો સાથે આધાર અપડેટ કરાવી લેવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે.આધાર અપડેટ કરાવવા માટે સરકારશહ દ્વારા રૂા.૫૦/-નો દર નક્કી કરવામાં આવ્યો છે.જેના માટે જિલ્લામાં આવેલા નજીકના આધાર નોંધણી કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે.વધુમાં,ભારત સરકાર દ્વારા MY Aadhaar Portal પર તા.૧૪/૦૬/૨૦૨૪ સુધી આધારમાં ડોક્યુમેન્ટ અપડેટ કરાવવાની આ સેવા વિનામુલ્યે કરવામાં આવી છે જેની જાહેર જનતાએ નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટર,બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.