રાજકોટ મોદીની સભામાં જસદણનો સિંહફાળો: વિજયભાઈ રાઠોડની ચાવીરૂપ ભૂમિકા - At This Time

રાજકોટ મોદીની સભામાં જસદણનો સિંહફાળો: વિજયભાઈ રાઠોડની ચાવીરૂપ ભૂમિકા


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ શહેર અને તાલુકાનાં ગામોમાંથી આજે રાજકોટ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જાહેરસભામાં હૈયું દળાય એવી જનમેદની ઉમટી પડી હતી ખાસ કરીને જસદણ જીઆઈડીસી એસોસિએશન અને જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ રાઠોડની ચાવીરૂપ ભૂમિકા રેહતા રવિવારે એમની ફેકટરી પાસેથી શહેરના જુદાં જુદાં વિસ્તારમાં રહેતા તેમનાં કાર્યકરોની એક બસ ઉપાડવામાં મહત્વની કામગીરી કરી હતી આ તકે રાજકોટમાં વડાપ્રધાનશ્રી ની જાહેર સભામાં ઉપસ્થિત રહ્યાં હતાં કાર્યકરોને કોઈ તકલીફ કે હાલાકી ન વેઠવી પડે તે માટે સરસ આયોજન ગોઠવ્યું હતું કાર્યકરોએ પણ આ આયોજનને દાદ આપી હતી દરમિયાન વિજયભાઈ રાઠોડ અને મંત્રી અમરશીભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે પાર્ટીનો કોઈ પણ કાર્યક્ર્મ હોય એમાં અમે તન મન અને ધનથી કામ કરી પાર્ટી પ્રત્યે વફાદારી ઘણાં વર્ષોથી નોંધાવીએ છીએ આ માટે અમારાં કામ આરામને પણ ઘણીવાર છોડી દીધો છે. એમાંય આજે તો અમારાં જીલ્લા રાજકોટમાં દેશના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી આવ્યાં હોવાથી અમારાં હૈયાંમાં ભારે હરખ છે તેમણે માત્ર રાજકોટમાં જ નહી પરંતુ દેશનાં અંતરીયાળ ગામોમાં પણ વિકાસના કામોની હારમાળા સર્જી દીધી છે અને દુનિયાભરના દેશોમાં આપણાં ભારત દેશનું નામ રોશન કર્યું છે તે આવનારી પેઢી પણ ભુલી નહી શકે છેલ્લે બન્ને યુવા ભાજપ આગેવાનોએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીની આજની રાજકોટની મુલાકાત યાદગાર બની રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.