સાણંદમાં વિશ્વ કલ્યાણ એવમ શાંતિ અર્થે રાષ્ટ્ર જાગરણ 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ યોજાશે - At This Time

સાણંદમાં વિશ્વ કલ્યાણ એવમ શાંતિ અર્થે રાષ્ટ્ર જાગરણ 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ યોજાશે


આ મહાયજ્ઞનું કાર્યાલય "વીર શહીદ મહિપાલસિંહ વાળા"ના નામે 15 ઓગસ્ટના દિવસે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવડીયાનાં હસ્તે ઉદ્ઘાટન કરી ખુલ્લું મુકાયું હતું સાથે મહાયજ્ઞનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું.
ભારતીય સંસ્કૃતિનો જય ઘોષ કરવા અમદાવાદના સાણંદના આંગણે વિશ્વ કલ્યાણ અને શાંતિ અર્થે રાષ્ટ્ર જાગરણ ૧૦૮ કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું પવિત્ર આયોજન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારની સાણંદ શાખાના યજમાન પદે થનાર છે. રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત આ મહાયજ્ઞમાં દેશની એકતા અને અખંડિતતા માટે સૌને સહભાગી થવા માટે ગાયત્રી પરિવાર દ્વારા જાહેર નિમંત્રણ અપાયું છે. આ મહાયજ્ઞમાં પરમ પૂજ્ય ડો.ચિન્મય પંડ્યાજી જેઓ દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય શાંતિકુંજ હરિદ્વારના વાઈસ ચાન્સેલર છે તેઓ ખાસ ઉપસ્થિત રહેશે.
આગામી 9 થી 11 સપ્ટેમ્બરને શનિવાર થી સોમવારના રોજ સાણંદ એ.પી.એમ.સીના પ્રાંગણમાં યોજાનાર આ મહાયજ્ઞની 1008 કળશ શોભાયાત્રા 9 સપ્ટેમ્બરના શનિવારના રોજ બપોરે ત્રણ કલાકે હજારી માતાના મંદિરેથી યોજાશે,10 સપ્ટેમ્બરને રવિવારના રોજ સવારે 7:00 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે અને 11:00 કલાકે ડોક્ટર ચિન્મય પંડયાજીનું સ્વાગત સામૈયું યોજાશે તેમજ સાંજે 4:00 કલાકે નારી સંમેલન યોજાશે.11 સપ્ટેમ્બરને સોમવારના રોજ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે.
આ મહાયજ્ઞનું નામ જ રાષ્ટ્ર જાગરણ મહાયજ્ઞ છે જે સ્વયં જ રાષ્ટ્ર ભક્તિથી ઓતપ્રોત છે માટે રાષ્ટ્રધ્વજ પણ ફરકાવાશે અને ભારતમાતા પૂજન પણ કરવામાં આવશે.આ મહાયજ્ઞમાં વ્યવસ્થાના અધ્યક્ષ તરીકે સ્વાતંત્ર સેનાની દશરથભાઈ પટેલ (દશુકાકા) રહેશે, આ મહાયજ્ઞમાં વ્યવસ્થાના મંત્રી રૂપે શ્રીમતી કમરબેન શેખ જે નરેન્દ્ર મોદીના ધાર્મિક બહેન છે તે રહેશે, આ મહાયજ્ઞમાં મુખ્ય યજમાનના રૂપે શહીદ પરિવારના કુટુંબીજનો બિરાજમાન થશે,
ખાસ મહત્વની વાત તો એ છે કે મહાયજ્ઞમાં યજ્ઞશાળાનું નામ શ્રી હજારીમાતા યજ્ઞશાળા રખાયું છે.ભોજનશાળાનું નામ પૂજ્ય મુનિદાસજી મહારાજ દ્વાર રખાયું છે અને પ્રવેશદ્વારનું પૂ.હીરાબા દ્વાર રાખવામાં આવ્યું છે તેમજ છોડમાં રણછોડ એક વૃક્ષ એક તરુમિત્ર અંતર્ગત 1008 વૃક્ષો આપવામાં આવશે અને આવો ગઢે સંસ્કારવાન પેઢી થીમ અંતર્ગત ગર્ભ સંસ્કાર કરવામાં આવશે અને બાલ સંસ્કાર પ્રદર્શની રાખવામાં આવી છે અને શ્રીમતી મણીબેન પટેલ વ્યસન મુક્તિ સ્ટોલ પણ રાખવામાં આવ્યો છે.
તદ્ઉપરાંત આ મહાયજ્ઞમાં શ્રી સમાજસેવક પ્રભુદાસભાઈ પટેલના નામથી થેલીસિમિયાના રોગથી પીડિત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે,યજ્ઞમાં દેવ મંચના સ્વાગત માટે ૧૦૮ શંખનાદ દ્વારા બ્રહ્મનાદ કરવામાં આવશે.વિશિષ્ટ મહાનુભવોને આજીવન કરેલ સેવા નીમિત્તે સેવા શિખર સન્માન આપવામાં આવશે,રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી સાહિત્ય સ્ટોલ ઉપર રાહતદરથી સાહિત્ય ઉપલબ્ધ થશે, નારી તું નારાયણી વિષય અંતર્ગત વિરાટ મહિલા સંમેલન યોજાશે,આ યજ્ઞમાં સાણંદ તાલુકા અને જિલ્લામાંથી 102 ગામોની શાળાઓના શિક્ષક સમુદાય જોડાશે.

ફઝલ પઠાણ એટ ધીસ ટાઇમ ન્યુઝ સાણંદ અમદાવાદ


9904201386
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.