થાનગઢ તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ થાનગઢના નવા હોદ્દેદારોની નવી વરણી કરાઈ* - At This Time

થાનગઢ તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ થાનગઢના નવા હોદ્દેદારોની નવી વરણી કરાઈ*


*થાનગઢ તાલુકા સ્વનિર્ભર (પ્રાઇવેટ) શાળા સંચાલક મંડળની જૂના હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થતા સર્વે સંચાલકોની હાજરીમાં થાનગઢ ખાતે મીટીંગનું આયોજન કરાયું તેમાં થાનગઢ તાલુકા સંચાલક મંડળ થાનગઢના નવા હોદ્દેદારોની નવી વરણી કરાઈ *પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ કણઝરીયા, અધ્યક્ષશ્રી જીતુભાઈ જોશી, ઉપપ્રમુખશ્રી એલ.એસ.ચૌહાણ, મંત્રીશ્રી સલીમભાઈ સુરાણી,ખજાનચીશ્રી કમલેશભાઈ શાહ, આર.ટી.ઇ(RTE)ચેરમેન, મીડીયાસેલ ચેરમેન શ્રી હસમુખભાઈ હડિયલ. થાનગઢ તાલુકા પ્રમુખશ્રી રાજેન્દ્રભાઈ કણઝરીયાના માર્ગદર્શન મુજબ સુરેન્દ્રનગર જિલ્લા કોરકમિટી માં નક્કી થયેલ મુજબ શ્રી કમલેશભાઈ શાહને જિલ્લા કોર કમિટીમાં નવી વરણી કરવામાં આવી અને જિલ્લા ખજાનચી તરીકે શ્રી સહદેવસિંહ રાણાની જિલ્લા કોર કમિટીમાં નવી વરણી થયેલ છે થાનગઢ તાલુકા શાળા સંચાલક મંડળને નવા હોદ્દેદારોની નવી નિમણુંક થતા થાનગઢના તાલુકાના સર્વે સંચાલકો હર્ષભેર લાગણી અનુભવે છે તેમજ શૈક્ષણિક માર્ગદર્શનમાં વિશેષ પ્રગતિ થશે તેવું નવા વરાયેલા હોદ્દેદારોએ સૌને ખાતરી આપી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.