ગાંધીગ્રામમાં આવાસમાં રહેવા આવેલા યુગલ પર હુમલો - At This Time

ગાંધીગ્રામમાં આવાસમાં રહેવા આવેલા યુગલ પર હુમલો


શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં રહેવા ગયેલા યુગલ પર આવાસની મહિલા પ્રમુખ સહિત ચાર શખ્સોએ માર માર્યાનું સામે આવ્યું છે. તમારે રહેવું હોય તો રૂ.ર5,000 આપવા જ પડશે તેમ કહી યુગલ પર હુમલો કર્યાનું સામે આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી લાભદીપ આવાસ યોજનામાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ગોપાલભાઈ ભાયાભાઈ કનારા (ઉ.વ. 40) અને તેમના પત્ની મનીષાબેન કનારા (ઉ.વ.37) પર આવાસ યોજનાના પ્રમુખ ભાવનાબેન, રાધાબેન, દિનેશ અને રતાએ ધોકા વડે માર મારતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના બીજાને રહેલા યુગલે જણાવ્યું હતું કે બે માસ પહેલા જ લાભદીપ આવાસ ક્વાટર રહેવા આવ્યા હતા અને તમારે અહીંયા રહેવું હોય તો રૂ.ર5,000 ચૂકવવા જ પડશે તેવી પઠાણી ઉઘરાણી કરી આવાસ ક્વાટરના પ્રમુખ ભાવનાબેન સહિત ચાર શખ્સોએ માર મારતા દંપતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે દંપતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.