ધંધુકા ખાતે દર્શન સોલંકીને ન્યાય મળે તે માટે કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/s0qwkf8xnipo0md5/" left="-10"]

ધંધુકા ખાતે દર્શન સોલંકીને ન્યાય મળે તે માટે કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.


ધંધુકા ખાતે દર્શન સોલંકીને ન્યાય મળે તે માટે કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.
અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહેતા દર્શન સોલંકી ની મુંબઈ ખાતે આત્મ હત્યાં કરી હતી.તેના અનુસંધાને તેમના માતા -પિતા દ્વારા સમગ્ર ગુજરાતને અપીલ કરવામાં આવી હતી કે સમગ્ર ગુજરાતમાં કેન્ડલ માર્ચ નો કાર્યક્રમ કરી તેને ન્યાય મળે અને તેના આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. તેના અનુસંધાને ધંધુકામાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ટીમ,એસ.સી.એસ.ટી વિકાસ પરિષદ, ધંધુકાના સામાજિક સંગઠનો અને ધંધુકાના જાગૃત નાગરિકો દ્વારા ઉપસ્થિત રહી ન્યાયની માંગણી સાથે રોહિત વેમુલા, પાયલ તડવી અને દર્શન
સોલંકી હવે આ જાતિવાદી માનસિકતાનો ભોગ બીજું કોઈ ના બને તેની સરકાર તકેદારી લે અને કડકમાં કડક કાર્યવાહી હાથ ધરે તેવી ઉગ્ર માંગ સાથે નારા અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]