સુરજબારી નજીક ટ્રક હડફેટે ૨૦ જેટલા ઘેટાંઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rqofsmxfux6797hx/" left="-10"]

સુરજબારી નજીક ટ્રક હડફેટે ૨૦ જેટલા ઘેટાંઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા


આજે સવારે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સુરજબારી ધોરીમાર્ગ પર બની હતી જેમાં માળિયા તરફથી કચ્છ તરફ જતી ટ્રકની હડફેટે ઘેટાં-બકરા આવી જતા લગભગ ૨૦ જેટલા ઘેટાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે ૪ થી ૫ ઘેટાં ગંભીર રીતે ઘાયલ થયા છે. અંજાર તાલુકાના રબારી સમાજના માલધારી પશુ માલ સાથે કચ્છ પરત આવી રહ્યા હતા ત્યારે સુરજબારી બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી નાસી રહેલા ટ્રકને અન્ય માલધારીએ અટકાવી લીધી હતી. સુરજબારી હાઇવે પેટ્રોલિંગની ટીમે ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ટ્રાફિક નિયંત્રણ કરી સુચારુ બનાવી રાખ્યો હતો. જે ઘટના અંગે હજુ સુધી પોલીસમાં કોઈ નોંધ થવા પામી ન હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]