જસદણ નગરપાલિકાના એન્જિનિયર મહેન્દ્ર ડાંગરની તાત્કાલિક અસરથી બદલી કરતા કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા - At This Time

જસદણ નગરપાલિકાના એન્જિનિયર મહેન્દ્ર ડાંગરની તાત્કાલિક અસરથી બદલી કરતા કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા


જસદણ પાલીકાના કોર્પોરેટરો બીજલભાઇ ભેસજાળીયા નરેશભાઈ ચોહલીયા દુર્ગેશભાઈ કુબાવત પ્રવીણભાઇ ઘૉડકીયા સહીત ઍક ડઝન જેટલા સદસ્યોઍ રજૂઆત કરૅલ તૅ સાંભળી મંત્રી શ્રીઍ જનહીતમા લીધેલા નિર્ણયને સર્વત્ર આવકારa

જસદણ નગરપાલિકાના મ્યુનિસિપલ એન્જિનિયર વર્ષોથી પેધી ગયેલ હોય તેવો ચૂંટાયેલા સદસ્યોના પણ કામ કરતા ન હોય માત્ર સત્તાધારી એકલદોકલ નેતા કે તે એટલું જ કામ કરતા હોય આ ઉપરાંત કોન્ટ્રાક્ટર બોલે તેટલું જ કરતા હોય અને પાલિકાના વાહનો પણ કોન્ટ્રાક્ટરના અંગત કામમાં ઉપયોગમાં આવતા હોય જનહિતના એક પણ કાર્ય થતા ના હોય તેથી જન હિતમાં જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર બે ના કોર્પોરેટર બીજલભાઇ ભેજાળિયા અને વોર્ડ નંબર પાચના કોર્પોરેટર નરેશભાઈ ચોહલીયા એડવોકેટ અને જાગૃત કોર્પોરેટર જલ્પાબેન દુર્ગેશભાઈ કુબાવત આ ઉપરાંત કાજલબેન પ્રવીણભાઈ ધોળકિયા સહિત પોણો ડઝન જેટલા કોર્પોરેટરો એ જનહિત ખાતર રજૂઆત કરેલ તે રજૂઆતના અનુસંધાને જસદણ વિછીયાના જાગૃત ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય સરકારના લોક પ્રહરી કેબિનેટ મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયાએ જન હિતમાં નિર્ણય લેતા નગરજનો તેમ જ કોર્પોરેટરો એ કુંવરજીભાઈ બાવળિયા ને અભિનંદન વર્ષા કરેલ છે અને હજુ પણ હરામ ખાવ કોર્પોરેટરો હરામ ખાવ કોન્ટ્રાક્ટરો અને હરામ ખાવ પૅધી ગયેલા કર્મચારીઓ અધિકારીઓ ઉપર પણ લટકતી તલવાર છે સાચા કોર્પોરેટરો અને જનહિતના કાર્યમાં જેણે પાપ કર્યું છે તે તમામના તપેલા ચડી જશે તેવું સ્પષ્ટ રીતે જાણવા મળે છે હજુ અનેકના તપેલા ચડવાના બાકી છે તેવું સ્પષ્ટ રીતે જાણવા મળ્યું છે.

રિપોર્ટર નરૅશ ચૉહલીયા જસદણ
મૉ9662480148


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.