સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ - At This Time

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ


જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર શિલ્પાબેન પટેલ સાહેબના માર્ગદર્શન અંતર્ગત થાનગઢ તાલુકાની 61 શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત એસ.એમ.સી (શાળા વ્યવસ્થાપન સમિતિ)સભ્યો માટેની ઓનલાઈન ટેલીકોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને દિવ્યાંગ બાળકોની વિવિધ યોજનાઓ અને ડિજિટલ શિક્ષણ વ્યવસ્થા બાબતે અધિકારીશ્રીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલુકા ની તમામ શાળાઓમાં આ પ્રસારણ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા ની શિક્ષણ શાખા એ પ્રયત્નો કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.