સુરતના ડોક્ટર ની બેદરકારીથી ૨૫ વર્ષની યુવતીનુ મોત થતા ભારે રોષ પી એમ બાદ બોડી નહિ સ્વીકારતા પરિવારજનો ની ફરિયાદ નોંધવા માંગ - At This Time

સુરતના ડોક્ટર ની બેદરકારીથી ૨૫ વર્ષની યુવતીનુ મોત થતા ભારે રોષ પી એમ બાદ બોડી નહિ સ્વીકારતા પરિવારજનો ની ફરિયાદ નોંધવા માંગ


સુરતના ડોક્ટર ની બેદરકારીથી ૨૫ વર્ષની યુવતીનુ મોત થતા ભારે રોષ પી એમ બાદ બોડી નહિ સ્વીકારતા પરિવારજનો ની ફરિયાદ નોંધવા માંગ
સુરતના સરથાણા જકાતનાકા વીસ્તારમા ડોક્ટર ની બેદરકારીથી ૨૫ વર્ષની યુવતીનુ મોત થતા પરીવારજનોમા ભારે રોષ. સુરતમા સરથાણા વીસ્તારમા આવેલ આનંદ હોસ્પીટલ ના ડોકટરની બેદરકારી ને કારણે પ્રીયંકા વિવેકભાઇ અણઘણ ઉ.વ - ૨૫ પરીણીત ગામ - ઘેટી પાલીતાણા નુ મોત નીપજેલ. આ દર્દી એપેન્ડીઝ ના ઓપરેશન કરાવવા માટે દાખલ કરવામા આવેલ. જેમા હોસ્પીટલે ઓપરેશન થયા બાદ દર્દીને જનરલ રૂમ મા બેભાન હાલતમા જ લાવેલ ભાન મા ન આવે ત્યાં સુધી દર્દીની દેખરેખ નસીંગ સ્ટાફ ને તથા ક્લોરોફોમ સુંઘાડનાર ડોકટર ને કરવાની હોઇ.પરંતુ આ સમય મા ત્યા એક્પણ ડોકટર હાજર રહેલ નહી અને દર્દીની સાથે રહેલ પરીવાર દ્વારા સ્ટાફ નર્સ ને વારા ફરથી ૧૫ મીનીટના અંતરે ત્રણેક વાર જાણ કરવા છતા તેમણે પુરતુ ધ્યાન આપેલ નહી જેને કારણે ૨૫ વર્ષીય મહીલા નુ મોત નિપજયુ પરીવારજનોની એક જ માંગ કે ગુનેગાર ડોકટર પર કાયદેસરની કાર્યવાહી કરવામા આવે તોજ અમે દર્દીની બોડી સ્વીકારીશુ. હાલ દર્દીનુ પોસ્મોટર્મ થઇને બોડી પરીવારજનો દ્વારા નહી સ્વીકારાતા સ્મીમેર હોસ્પીટલ મા પોસ્મોટમ મા રાખવામા આવેલ છે. સરથાણા પોલીસ સ્ટેશન મા ફરીયાદ બાદ બોડી સ્વીકારવા પર પરીવાર અડગ છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.