ધંધુકા સોની ની વાડી ખાતે “આંતર રાષ્ટ્રીય મહા રકતદાન' કેમ્પ યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qtmks5pfxgndhwim/" left="-10"]

ધંધુકા સોની ની વાડી ખાતે “આંતર રાષ્ટ્રીય મહા રકતદાન’ કેમ્પ યોજાયો.


ધંધુકા સોની ની વાડી ખાતે “આંતર રાષ્ટ્રીય મહા રકતદાન' કેમ્પ યોજાયો.

“આંતર રાષ્ટ્રીય મહા રકતદાન' કેમ્પના ભાગ રૂપે રકતદાન યોજવામાં આવ્યો.

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ધ્વારા આયોજીત ધંધુકા આશ્રિત શ્રી મદનમોહન યુવક મંડળનું સફળતાપૂર્વક આયોજન: વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનોએ રકતદાન કર્યું.

અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતેની સોનીની વાડીમાં ધર્મકુળ આશ્રિત શ્રી મદનમોહન યુવક મંડળ ધંધુકામાં ધ્વારા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ધ્વારા - આયોજીત આંતર રાષ્ટ્રીય મહા રકતદાન કેમ્પ અન્વયે ધંધુકામાં સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાતા બહેનો અને ભાઈઓ એ તથા ધંધુકા આશ્રિત શ્રી મદનમોહન યુવક મંડળના હરીભક્તો સત્સંગીઓએ વિશાળ સંખ્યામાં રકતદાન કર્યું હતું

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી ના
પ.પૂ.ધુ.ધુ.શ્રી ૧૦૦૮ અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણ થી તા.૧૭ મી માર્ચ ને રવિવારે ભારત સહીત સાત દેશોમાં એકજ સાથે ૧૧૫ ઉપરાંત વિવિધ સ્થળોએ આંતર રાષ્ટ્રીય મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગ રૂપે અમદાવાદ જીલ્લાના ધંધુકામાં યોજાયેલા રકતદાન કેમ્પમાં રકતદાતાઓ એ વિશાળ સંખ્યામાં રકતદાન કર્યું હતુ.

ભગવાનશ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કરેલ આશા અનુસાર વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પ.પૂ.ધુ.ધુ.શ્રી ૧૦૦૮

આચાર્યશ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણા અને આશાથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માનવ સેવા અને સમાજ સેવાના કાર્યોમાં હંમેશા કાર્યરત રહે છે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]