રાજકોટમાં કેજરીવાલના રોડ શોમાં મોદી મોદીના નારા લાગ્યા,  - At This Time

રાજકોટમાં કેજરીવાલના રોડ શોમાં મોદી મોદીના નારા લાગ્યા, 


કેજરીવાલનો રોડ શોમાં મોદી મોદીના નારા લાગ્યા
રવિવારે સાંજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે રાજકોટ, ચોટીલા અને વાંકાનેરમાં રોડ શો કર્યો હતો. અરવિંદ કેજરીવાલે રાજકોટમાં રોડ-શો યોજાયો હતો. શહેરની કોઠારિયા ચોકડીથી સોરઠિયાવાડી સર્કલ સુધી કેજરીવાલનો રોડ-શો યોજાયો હતો. રોડ-શોના રૂટમાં લોકોએ કેજરીવાલ પર ફૂલનો વરસાદ કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા શક્તિ પ્રદર્શનના દૃશ્યો જોવા મળ્યા હતા. જોકે, રાજકોટમાં કેજરીવાલના રોડ શો દરમિયાન મોદી મોદીના નારા લાગ્યા હતા. ત્યારે સૌરાષ્ટ્રના રાજકારણના એપી સેન્ટર રાજકોટમાં રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.