*બોટાદ શહેરમાં ટ્રાફીક સમસ્યાને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું* - At This Time

*બોટાદ શહેરમાં ટ્રાફીક સમસ્યાને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું*


*બોટાદ શહેરમાં ટ્રાફીક સમસ્યાને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું*
----------------
માહિતી બ્યુરો, બોટાદ :- બોટાદ શહેરમાં ટ્રાફીક સમસ્યા અને લોકોની અવર જવર માટે ટુ-વ્હીલ તથા ફોર વ્હીલ વાહનોનો ઉત્તરોત્તર વધારો થવાના કારણે બોટાદ શહેરની ભૌગોલિક પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં રેલ્વે સ્ટેશન રોડ, અન્ડરબ્રિજ, સાળંગપુર રોડ તથા ટાવર રોડ પરથી પાળીયાદ તરફ જતા વાહનોને ફકત સાળંગપુર ત્રણ રસ્તાથી ગોંડલ પાન પેલેસથી મસ્તરામ મંદિર-સતવારા બોર્ડીંગ થઇ કાબા રૂપાની વાડીથી વકીલ પેટ્રોલપં૫ સામેથી પાળીયાદ રોડ ઉ૫ર પ્રવેશ કરવાનો રહેશે.

તેવી જ રીતે પાળીયાદ તરફથી સાળંગપુર જતાં વાહનોને હવેલી ચોકથી મોબાઇલ બજાર - કરમશી ભવાન કિરાણા સ્ટોર(તરાના પાન) થી ટાવર રોડ પર પ્રવેશ કરવાનો રહેશે. હવેલી ચોકથી દિનદયાળ ચોક અને હિરા બજારમાં ટ્રાફીક સમસ્યા નિવારવા ફકત એકબાજુ દ્વિ-ચક્રી વાહનો પાર્ક કરવા એટલે કે, એકી તારીખે જમણી બાજુ તથા બેકી તારીખે ડાબી બાજુ વાહનો પાર્ક કરવાના રહેશે. પીક - અવર્સ દરમ્યાન એટલ કે સવારના ૧૦:૦૦ કલાક થી બપોરના ૦૨:૦૦ કલાક તથા સાંજના ૪:૦૦ કલાક થી રાત્રિના ૮:૦૦ કલાક દરમિયાન ભારે વાહનો માટે પ્રવેશ નિષેઘ રહેશે.

આ જાહેરનામું તા.૧૪/૦૭/૨૦૨૨ થી તા.૧૧/૦૯/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ હુકમ /જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે ફરજ પરના કોઇપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.
૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.