પ્રાંતિજ ત્રણ રસ્તા પાસેના બસ સ્ટોપ ઉપર હાર્ટએટેકથી આધેડ વ્યક્તિનું મોત. - At This Time

પ્રાંતિજ ત્રણ રસ્તા પાસેના બસ સ્ટોપ ઉપર હાર્ટએટેકથી આધેડ વ્યક્તિનું મોત.


પ્રાંતિજ ત્રણ રસ્તા ઉપર આવેલ બસ સ્ટોપ ઉપર પોગલુ ગામના દિલીપકુમાર ડાહ્યાલાલ સુથાર કે જેવો બાંકળા ઉપર બેઠા હતા. તે દરમિયાન તેઓને હાર્ટ એટેકનો દુઃખાવો ઉપડયો હતો અને તેમનું ઘટનાસ્થળ ઉપર જ ઢળી પડતા મોત નિપજયુ હતુ. આ તકે અન્ય મુસાફરોનુ ધ્યાન જતા પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી અને પ્રાંતિજ બીટ જમાદાર રાજુભાઇ બરડા તાત્કાલિક સ્થળ ઉપર દોડી અને આધેડને રીક્ષામા પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામા આવ્યા હતા. પરંતુ સિવિલમા હાજર ડૉકટર દ્વારા મૃત જાહેર કર્યા હતા. પ્રાંતિજ પોલીસ દ્રારા તેમની પાસેથી મળી આવેલ આધાર કાર્ડના આધારે ગામના સરપંચ શામળભાઈ પટેલનો સંર્પક કર્યો અને પરિવારનો સંર્પક ક્યો હતો. મૃતક દિલીપકુમાર ડાહ્યાલાલ સુથાર હિંમતનગર ખાતે આવેલ મેડિકલની દુકાનમા બેસતા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.