આગામી દિવસોમાં જગન્નાથ રથયાત્રા તેમજ બકરી ઈદના તહેવારો આવતા હોય જે અનુસંધાને જસદણ પોલીસ સ્ટેશન ખાતે મિટિંગ યોજાઈ - At This Time

આગામી દિવસોમાં જગન્નાથ રથયાત્રા તેમજ બકરી ઈદના તહેવારો આવતા હોય જે અનુસંધાને જસદણ પોલીસ સ્ટેશન ખાતે મિટિંગ યોજાઈ


આગામી દિવસોમાં જગન્નાથ રથયાત્રા તેમજ બકરી ઈદના તહેવારો આવતા હોય જે અનુસંધાને જસદણ પોલીસ સ્ટેશન ખાતે મિટિંગ યોજાઈ

આગામી દિવસોમા રથયાત્રા (અષાઢી બીજ) તેમજ બકરી-ઇદના તહેવારો આવતા હોય જે અનુસંધાને જસદણ પો.સ્ટે ખાતે આજ રોજ તા. ૩૦/૦૬/૨૦૨૨ ના ક ૧ TV૩/૩૫ વાગ્યે શ્રી પોલીસ અધિક્ષક સાહેબ રાજકોટ ગ્રામ્યનાઓની અધ્યક્ષતામાં શાંતિ સમિતી મિટિગ લેવામાં આવેલ જેમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઝાલા સાહેબ ગોંડલ વિભાગ ગોંડલ તથા PI શ્રી કે.જે.રાણા સાહેબ હાજર રહેલ, તેમજ જસદણ રથયાત્રા આયોજક મોટા રામજી મંદિરના મહંતના પ્રતિનીધી તથા હીન્દુ, મુસ્લિમ સમાજના આગેવાનો જેમા જેમાં જસદણ મેમણ જમાતના પ્રમુખ ઈમરાન ભાઈ ખીમાણી તથા મુસ્લિમ આગેવાન રફિકભાઈ રાવાણી તથા રસીદભાઈ ગનિયાણી તથા હિન્દુ સમાજના આગેવાન પંકજભાઈ ચાવ તથા ધીરુભાઈ છાયાણી તથા ઇસ્કોન મંદિર ના આગેવાન ઘનશ્યામદાસજી તથા ગામના આગેવાનો મળી આ શાંતિ સમિતિની મિટિગમા ૨૫ જેટલાં આગેવાનો હાજર રહેલ હતા.અને તમામ સમાજના લોકો એક બીજા ભાઈ ચારાની ભાવનાથી તહેવારોની ઉજવણી કરે અને વિસ્તારમા શાંતિ જળવાય રહે તે અંગે જરૂરી સૂચનો કરેલ હતા.હાજર તમામ આગેવાનોએ તંત્રને પૂરો સાથ સહકાર આપવા ખાત્રી આપેલ હતી.બીજી કોઈ રજૂઆત ન હોય આ મિટીંગ ક.૧૩/૪૫ વાગ્યે શાંતિથી પૂર્ણ થયેલ હતી.

Report Vijay Chauhan Jasdan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.