કેશોદના બાલગામમાં વિવિધ કાર્યક્રમ યોજાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qt4uunjfezf5krqe/" left="-10"]

કેશોદના બાલગામમાં વિવિધ કાર્યક્રમ યોજાયા


કેશોદ તાલુકાના બાલાગામ ખાતે  વિશ્વ હિન્દુ પરિષદ તથા ગામ સમસ્ત દ્વારા અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની તથા રામદેવજી મહારાજની રથયાત્રા  ભવ્યથી ભવ્ય ઉજવવામાં આવેલ હતી જેમાં બાલાગામના સમસ્ત હિન્દૂ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા અને ગામના મંદિરોમાં ધ્વજા રોહણ કરવામા આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરવામાં આવેલ હતા  શોભાયાત્રામાં તમામ જ્ઞાતિના આગેવાનો  વિવિધ સંગઠનો જોડાયા હતા આ ઉત્સવને બધાના સાથ સહકારથી ઉત્સાહભર ઉજવેલ હતો  કેશોદ વિશ્વ હિન્દુ પરિષદના તાલુકા પ્રમુખ લખનભાઈ કામરીયા શહેર પ્રમુખ  વિશાલભાઈ સોલંકી મહામંત્રી મહેશભાઈ પાંસેરિયા ઉપ પ્રમુખ રવિભાઈ ડાભી તથા કાર્યકરો ઉપસ્થિત રહેલા હતા  

કેશોદના બાલાગામ ખાતે હિન્દૂ સમાજના તમામ તહેવારોની ઉજવણી ધામધૂમ પૂર્વક ઉજવાશે તેવુ વિશ્વ હિન્દુ પરિષદ તરફથી જણાવેલ હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]