આવતીકાલે બોટાદ જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં રાજકીય શોક સાથે પ્રાર્થના સભા યોજાશે - At This Time

આવતીકાલે બોટાદ જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં રાજકીય શોક સાથે પ્રાર્થના સભા યોજાશે


મોરબીમાં બનેલી ઝૂલતા પુલની દુર્ઘટનાને પગલે આવતીકાલે તા. ૨/૧૧/૨૦૨૨ ના રોજ રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે બોટાદ સહિત રાજ્યભરમાં સરકારી કચેરીઓમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત નિયમિતપણે રાષ્ટ્રધ્વજ જે ઇમારતો પર લહેરાવવામાં આવતો હોય ત્યાં અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે તેમજ તા. ૨/૧૧/૨૦૨૨ ના રોજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમનું આયોજન થશે નહીં. તમામ ગામડાઓ, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં મોરબીની બ્રિજ દુર્ઘટનામાં દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના સભા યોજાશે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.