ધનસુરા ખાતે ગુજરાત ભાજપ ના યુવા મોરચા ના પ્રમુખ પ્રશાંત કોરાટ ની ઉપસ્થિતી માં મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. - At This Time

ધનસુરા ખાતે ગુજરાત ભાજપ ના યુવા મોરચા ના પ્રમુખ પ્રશાંત કોરાટ ની ઉપસ્થિતી માં મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો.


દેશના વડાપ્રધાન ધ્વારા દરેક મહિનાના અંતિમ રવિવારે મન કી બાત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ધ્વારા અને ધનસુરા તાલુકા યુવા મોરચા દ્વારા વડાપ્રધાન ના મન કી બાત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ભાજપ ના યુવા મોરચા ના પ્રમુખ પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ધનસુરા ના આંજણા પાટીદાર હોલ ખાતે યોજાયો હતો જેમાં ગુજરાત ભાજપ ના યુવા મોરચા ના પ્રમુખ પ્રશાંત કોરાટ સહિત ધનસુરા અને અરવલ્લી જિલ્લાના યુવા મોરચા ના હોદ્દેદારો અને ભાજપ ના આગેવાનો અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાન ના મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. સાથે અરવલ્લી જિલ્લામાં વિવિધ જગ્યાએ પણ આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન ધ્વારા દેશ માં થતી અલગ અલગ પ્રવૃત્તિઓ પ્રેરણા રૂપ કામગિરી તેમજ લોકોમાં જાગૃતતા આવે અને લોકો ને પ્રેરણા મળે જેવી બાબતો ને લઈ દર મહિને મન કી બાત કાર્યક્રમ કરવામાં આવે છે આ કાર્યક્રમ માં જિલ્લા યુવા મોરચા પ્રમુખ તાલુકા યુવા મોરચા પ્રમુખ ધનસુરા અને અરવલ્લી જિલ્લાના યુવા મોરચા ના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.