જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા વૃદ્ધાશ્રમમાં ગાદલા આપવામાં આવ્યા….
જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા વૃદ્ધાશ્રમમાં ગાદલા આપવામાં આવ્યા....
હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલા આચલ વૃદ્ધાશ્રમમાં જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા ગાદલા આપવામાં આવ્યા. આ વૃદ્ધાશ્રમને એક વર્ષ પૂર્ણ થયું તે નિમિત્તે સત્યનારાયણની કથા રાખવામાં આવી હતી તેમજ ભોજન આપવામાં આવ્યું. દાતા તરીકે વૈદેહીબેન પંડ્યા, રમીલાબેન પંચાલ, ગીતાબેન ભટ્ટ, મીનાબેન સાધુ, સજજનબેન, પૂર્વીબેન આચાર્ય એ ફાળો આપ્યો. આ કાર્યક્રમમાં પ્રમુખ સોનલબેન, મંત્રી રાજશ્રીબેન, ઇન્દિરાબેન, વિમળાબેન, બીનાબેન, રેખાબેન, મંજુલાબેન, ઇલાબેન તથા સંસ્થાના પ્રમુખ સોનલબેન બારોટ હાજર રહ્યા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.