શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દ્રાક્ષનો દિવ્ય શણગાર એવં અન્નકૂટ - At This Time

શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દ્રાક્ષનો દિવ્ય શણગાર એવં અન્નકૂટ


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન શનિવાર નિમિત્તે તા.04-03-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને લાલ-કાળી દ્રાક્ષના દિવ્ય વાઘા ધરાવી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ. દાદાના સિંહાસનને લાલ-કાળી દ્રાક્ષનો દિવ્ય શણગાર કરવામાં આવેલ તેમજ બપોરે 11:15 કલાકે યજમાનશ્રી ગુરુવર્ય પુરાણી જ્ઞાનજીવનદાસજી સ્વામી-નાસીક દ્વારા દાદાને દ્રાક્ષનો અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ જેના દર્શન-અન્નકૂટ- આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.