મોરબી ખાતે સ્વાવલંબી ભારત અભિયાનનો કાર્યક્રમ યોજાયો* - At This Time

મોરબી ખાતે સ્વાવલંબી ભારત અભિયાનનો કાર્યક્રમ યોજાયો*


સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત તા. ૧૭/૦૯/૨૩ નાં મોરબી ખાતે હાઉસિંગ બોર્ડ એ કે સહયોગ કોમ્યુનિટી હોલમાં એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું. જેમાં સ્વાવલંબી ભારત તથા સ્વદેશી વિશે માર્ગદર્શન કરવામાં આવ્યુ. જેમાં સ્વાવલંબી ભારત અભિયાનના પ્રાંત કાર્યકર્તા ભાર્ગવીબેન ભટ્ટ તથા સ્વદેશી જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંતના મહિલા સહપ્રમુખ વનિતાબેન રાઠોડ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. આ તકે સંઘના જિલ્લા કાર્યવાહકજી ખાસ ઉપસ્થિત રહેલ. તેમને મહિલા સશક્તિકરણ અને મહિલા સંમેલન વિશે વાત રાખવામાં આવી. આ સાથે સ્વાલંબી ભારત અભિયાન મોરબી જિલ્લા સંયોજક જિલેશકુમાર બી . કાલરીયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી. કાર્યક્રમનું સફળ સંચાલન ભાવિશાબેન સારાડવા દ્વારા કરવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં માનવ સેવા એજ પ્રભુસેવા સંસ્થાન ,અંબુજા ફોઉન્ડેશન ,મુસ્કાન વેલ્ફર ,રીટાબેન આદ્રોજા ,અનસ્ટોપેબલ વોરિયર ,પારુલ સખીમંડળ વગેરે સંસ્થાનોમાંથી બહેનો ઉપસ્થિત રહ્યા હતાં. સ્વદેશી જાગરણ મંચના સૌરાષ્ટ્ર પ્રાંતના મહિલા પ્રમુખશ્રી ભાર્ગવીબેન ભટ્ટ અને સૌરાષ્ટ્ર પ્રાંતનાં સહમહિલા પ્રમુખશ્રી વનિતાબેન રાઠોડ બંને બહેનોએ મોરબી નો પ્રવાસ કરી મોરબીના કાર્યક્રમો સરસ વકતવ્ય આપી રાજકોટનું ગૌરવ વધારેલ છે. તેઓનાં આ પ્રવાસ બદલ પશ્ચિમ ક્ષેત્રનાં સમન્વયક શ્રી રમેશભાઈ દવેએ ખૂબ ખૂબ અભિનંદ પાઠવ્યા.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.