જસદણમાં પી એમ મોદીના માતાના નિધનથી શોકની કાલિમા છવાઈ - At This Time

જસદણમાં પી એમ મોદીના માતાના નિધનથી શોકની કાલિમા છવાઈ


જસદણમાં પી એમ મોદીના માતાના નિધનથી શોકની કાલિમા છવાઈ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માતૃશ્રી પૂજ્ય હીરાબાના આજે વહેલી સવારે થયેલ નિધનના પગલે જસદણ તથા વીંછિયા પંથકમા શોક છવાયો હતો આંખના પલકારામાં દેશભરમાં આ સમાચાર ફરી વળતાં લાખો લોકોએ સોશ્યલ નેટવર્ક પર શ્રદ્ધાંજલિ આપી હતી. જસદણના ધારાસભ્ય અને રાજયના કેબિનેટ મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે હીરાબાના દેવલોક ગમનથી ઊંડા દુઃખની લાગણી અનુભવું છું જસદણના પુર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું કે પૂજ્ય હીરાબા વાત્સલ્ય સાદગી પરિશ્રમ અને ઉચ્ચ જીવન મૂલ્યોના પ્રતિમૂર્તી હતાં ભગવાન તેમનાં પરમ આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના જસદણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે હીરાબાને મહાદેવ શાંતિ અર્પે એવી પ્રાર્થના જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે શતાયુ પર પહોંચેલા હીરાબા એક એક વિરલ વ્યક્તિત્વ હતાં જીવનનાં ઝંઝાવાત સામે લડી સંસ્કારોની ભેટ આપનારાને ઈશ્વર પરમ શાંતિ આપે. હાલ હીરાબા નો દેહ પંચમહાભૂતમાં વિલીન થતાં જસદણ વીંછિયા પંથકમાં શોકની કાલિમા છવાઈ છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.