શતામૃત મહોત્સવની દુનિયાના ખૂણે ખૂણે સુધી ખબર પહોંચાડતા તમામ પત્રકારોનું સભામંડપમાં સન્માન - At This Time

શતામૃત મહોત્સવની દુનિયાના ખૂણે ખૂણે સુધી ખબર પહોંચાડતા તમામ પત્રકારોનું સભામંડપમાં સન્માન


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાંપ 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવ ઉજવાય રહ્યો છે. ત્યારે 16 નવેમ્બર થી શરૂ થયેલા આ શતામૃત મહોત્સવનું સતત કવરેજ કરી દુનિયાના ખૂણે ખૂણે ખબર સુધી પહોંચાડતા તમામ પત્રકારોનું સભા મંડપમાં સન્માન કરાયું હતું.
મહત્વનું છે કે, આજે શતામૃત મહોત્સવના પાંચમા દિવસે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની કથાના અંતમાં પત્રકારો અને હનુમાન સેવકોનું સન્માન કરાયું હતું. શતામૃત મહોત્સવનું કવરેજ કરી દુનિયાના ખૂણે ખૂણે સુધી પહોંચાડનારા તમામ પત્રકારોને દાદાની મૂર્તિ, હાર અને ખેસ પહેરાવીને સન્માન કરાવ્યું હતું. સભા મંડપના સ્ટેજ પર શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી
એ તમામ પત્રકારોને રૂબરૂ આશીર્વાદ પાઠવ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.