સાબરકાંઠામાં તા. ૭ ફેબ્રુઆરીએ પ્રખરતા શોધ પરીક્ષા લેવાશે - At This Time

સાબરકાંઠામાં તા. ૭ ફેબ્રુઆરીએ પ્રખરતા શોધ પરીક્ષા લેવાશે


*સાબરકાંઠામાં તા. ૭ ફેબ્રુઆરીએ પ્રખરતા શોધ પરીક્ષા લેવાશે*
****************

સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્રારા ધોરણ-૯ના વિધાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટી તા. ૭ ફેબ્રુઆરી ૨૦૨૩ મંગળવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે લેવામાં આવશે. જિલ્લાના નવ કેન્દ્રો ઉપર પ્રખરતા શોધ કસોટી લેવામાં આવશે. જેમાં શ્રી હિંમત હાઇસ્કુલ-હિંમતનગર, જૈનાચાર્ય આનંધસુરી વિધ્યાલય-હિંમતનગર, એન.& કે પંડ્યા હિંમત હાઇસ્કુલ નં.૨-હિંમતનગર, સરપ્રતાપ હાઇસ્કુલ-ઇડર, શ્રી કે.એમ પટેલ હાઇસ્કુલ-ઇડર, શ્રી કે.ટી હાઇસ્કુલ યુનિટ-૧-ખેડબ્રહ્મા, શ્રી કે.ટી હાઇસ્કુલ યુનિટ-૨-ખેડબ્રહ્મા,શ્રી સી.ડી પટેલ હાઇસ્કુલ-તલોદ અને મહારાજા હમીરસિંહજી હાઇસ્કુલ- વિજયનગર કેન્દ્રો ખાતે પ્રખરતા શોધ કસોટી લેવાશે.એમ જિલ્લા શિક્ષણાધિકારી,સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
*************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.