પોરબંદર માં શ્રી વલ્લભ સત્સંગ મંડળ દ્વારા વડીલ વંદના અંતર્ગત વડીલો ની અનુભવ વાણી કાર્યક્રમ યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ltpr1oyazofmqsw1/" left="-10"]

પોરબંદર માં શ્રી વલ્લભ સત્સંગ મંડળ દ્વારા વડીલ વંદના અંતર્ગત વડીલો ની અનુભવ વાણી કાર્યક્રમ યોજાયો.


વડીલો ને સંપતિ નહી સંતાનોનો પ્રેમ હૂંફ ને આત્મીયતાભર્યો વ્યવહાર જરૂરી છે.સિનિયર સીટીજનો પોતાના અનુભવો વ્યક્ત કર્યા

ગોસા(ઘેડ)પોરબંદર તા.૧૦/૦૨/૨૦૨૪ પોરબંદર માં કીડીનું કીડીયારું, તુલસી ના કૂન્ડા નુ વિતરણ, જરૂરિયાત મદો માટે અનેક સેવા પ્રકલ્પો બાળ સઁસ્કાર પ્રવૃર્તિ સહિતની શ્રી વલ્લભ સત્સંગ મંડળ દ્વારા પોરબંદર ના પ્રજા પિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે વડીલ વંદના અંતર્ગત વડીલો ની અનુભવ વાણી કાર્યક્રમ નુ દિવ્ય આયોજન કરવા માં આવેલ હતું પ્રારંભ માં શ્રી વલ્લભ સત્સંગ મંડળ ના પ્રમુખ શ્રી પ્રકાશ ભાઈ રૂપારેલ એ સત્સંગ અને સેવામાર્ગ ને ભક્તિ માર્ગ થી પણ ઉત્તમ ગણાવી વડીલો ને આવકારી મંડળ દ્વારા હાથ ધરાયેલ કર્યક્રમ ની રૂપરેખા પ્રસ્તુત કરી હતી આ પ્રસંગે પોરબંદર પ્રજા પિતા બ્રહ્મા કુમારી ઈશ્વરિય વિશ્વ વિદ્યાર્લયના બ્રહ્મા કુમારી શ્રી ગીતા બેને જણા વ્યુ હતું કે ચાર અવસ્થા પૈકી વાન પ્રસ્થાશ્રમ ને જીવન જીવવા ની ચાવી ગણાવી સંસાર ની મોહ માયા નો ત્યાગ કરી ને ઇશ્વર ની ભક્તિ માં મન પરોવું જેટલું બીજાને સુખ આપશો એટલા તમે સુખી થશો, જેટલું બીજા ને દુઃખ આપશો એટલું તમોને દુઃખ આપશે આ પ્રસંગે પોરબંદર ની નગર પાલિકા ના પ્રમુખ ડો. ચેતના બેન તિવારી એ શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ ને સેવા ને બિરદાવી ને જણા વ્યુ હતું કે વડીલો પાસે જૅ અનુભવનું ભાથું છે તેના પાયા માં સાદું જીવન અને ઉચ્ચ વિચાર છે પ્રવૃર્તિ એ માણસને વડીલ હોવા છતાં યુવાન રાખે છે ક્ષમતા કરતા વધુ અપેક્ષા રાખવી એ તણાવ નુ કારણ છે ઉંમર એતો ગણિત ના આંકડા છે ઉંમર નો સઁબંધ શરીર સાથે નહી પણ મન સાથે છે મન ને મજબૂત કરવા સત્સંગ જરૂરી ગણાવી સૌ વડીલોને મોજ માં રહેવાની શીખ આપી હતી આ પ્રસંગે ગોઢાણીયા બી. એડ કોલેજ ના ડાયરેકટર શ્રી ઈશ્વરભાઈ ભરડા એ વડીલોની વંદન કરી જણા વ્યુ હતું કે વધારે પડતું વિચારવું એ બીમારી છે વિચારવું જ નહી એ મૂર્ખ તા છે સમયની સાથે પોતાના વિચારોમા પરિ વર્તન લાવવા થી પરિવાર નો પ્રેમ હૂંફ અને લાગણી મળશે ફુરસદ ના સમયમાં પુસ્તક સાથે દોસ્તી કેળવો એ જ સફળતા ની ચાવી છે વડીલો ને સંપતિ ની નહી પણ સંત તિ (દીકરા દીકરા ) નો પ્રેમ, હૂંફ આત્મીયતા મળે તેવા વ્યવહાર ની જરૂર છે આ તકે ગોઢાણીયા સંકુલ ના ટ્રસ્ટ પ્રમુખ. જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો વિરમભાઈ ગોઢાણીયા એ પોતાના શુભેચ્છા સન્દેશ માં આવા રચનાત્મક કાર્યક્રમો આવકારી જણા વ્યુ હતું કે આપણી ભારતીય સઁસ્કૃતિ એ માતા, પિતા, ગુરુ અતિથિ ને દેવ તુલ્ય ગણી છે ત્યારે આજની યુવા પેઢી આ અનુ સર શે તો આપણી પરમ પરા જળવાશે પોરબંદર બ્રહ્મ કુમારી સેંટર ના બ્રહ્મ કુમારી શ્રી લીના બેન એ પોરબંદર ના પ્રજા પિતા બ્રહ્મ કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સંસ્થા અને તેની પ્રવુતિ નો પરિચય આપી આગામી ૧૭ થી ૨૧ માઉન્ટ આબુ ખાતે યોજનારી આધ્યાત્મિક શિબિર મા જોડાવા ની શીખ આપી હતી આ તકે વડીલો એ પોતાના અનુભવો પ્રસ્તુત કર્યા હતા જેમાં સેવા, ધર્મે, સાદગી, શુદ્ધ વિચાર, હકારાત્મક અભિગમ, શીખવા ની તત્પરતા, સારી સોબત, યોગા, સત્સંગ નિર્ભયતા, સંઘર્ષ અને ભક્તિ માર્ગ થકી ઉત્તમ જીવન શૈલી રહી છે ત્યારે આજની યુવા પેઢી માટે માર્ગ દર્શન રૂપ બની રહેશે તદ્દ ઉપરાંત બ્રહ્મા કુમારી સેન્ટર મા આવતા વડીલો એ પોતાનો તનાવ, ચિંતા, અશાંતિ અને પોતાના અ સાધ્ય બીમારી ને તિલા જલિ આપવા મા બ્રહ્મા કુમારી સેન્ટર ને પોતાના જીવન નો ટર્નીંગ પોઇન્ટ ગણાવ્યો હતો પોરબંદર ના શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા દાતા ઓ ના સહ યોગ થી મહાનુભાવો ના હસ્તે કીટ અને ફોર કલર લેમિનેશન સાથે સ્મૃતિ પત્ર ભેટ રૂપે એનાયત કરવામાં આવેલ હતા ઉલ્લેખ નિય છે જીવનમાં બાળ પણ યુવાની તૅમજ ઘડ પણ અવસ્થા આવેજ છે જેમ જેમ ઉંમર વધતી જાયઃ તેમ તેમ સાથે જીવેલા સાથીઓ ની સઁખ્યા ઘટતી જતી હોઈ છે અને જૅ વૃદ્ધ એકલા પડે તેમને એકલતા ની લાગણી મૃત્યુ કરતા પણ વિકરાળ લાગે છે અને જેના જીવન સાથી કે જેની જીવન સંગી ની વિદાય લઇ લે છે તેને માટે તો જીવન અત્યન્ત આકરું અને બોજા રૂપ જેવું લાગે છે અત્યાર ની ફાસ્ટ લાઈફ માં પરિવાર ના યુવાન સભ્યો કામ કાજ માં પરોવાયેલા રહે છે તૅમજ તેમના પોતાના સમ વ્યસ્ક સબન્ધો ના વર્તુળમાંથી વૃદ્ધ સભ્યો માટે ભાગ્યેજ સમય ફાળવી શકે છે આવા સન્જોગો માં વૃદ્ધ લોકો એકલતા અનુભવતા રહે છે વૃદ્ધ લોકોની એકલતા ને જડ મૂળ માંથી દૂર કરવી એ મુશ્કેલ કાર્ય છે પરંતુ આ વાડીલો ના જીવન ની અમુક ક્ષણો ને યાદગાર બનાવી તેમના માટે જીવન ની સમી સન્ધ્યા એ ખુશીના એક પુષ્પ સમા શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ ના આ પ્રયાસ થકી વડીલો ને પ્રેમ લાગણી હૂંફ મળશે અને વડીલો ને ખુમારી પૂર્વક જીવન જીવવા નુ બળ મળશે આ થી આ આયોજન કરવા માં આવેલ હતું સમગ્ર કાર્ય કર્મનું સંચાલન શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ ના પ્રમુખ શ્રી પ્રકાશ ભાઈ રૂપારેલ એ સંભાળ્યું હતું અને આભાર દર્શન પણ કર્યું હતું આ વ ડીલ વંદના કાર્ય ક્રમ માં ડો સી. જી જોષી, શ્રી હંસા બેન થાનકી, શ્રી દયાલજી ભાઈ લાખાણી, ભીખુ ભાઈ ચાવડા, શ્રી વસન્તં ભાઈ ભટ્ટ, રસિક ભાઈ પઢીયાર, શ્રી નાથા ભાઈ દાસા, ગોસ્વામી હર દહી ગિરી, મગન ભાઈ સાદીયા, પ્રભુદાસ ભાઈ ગજ્જર,સહિત શહેર ના સિનિયર સીટી જનો મોટી સંખ્યા માં હાજર રહીયા હતા.
રિપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]