ધંધુકાની શ્રી ડી એ શિક્ષણ સંકુલ દ્વારા ' વાલી સંમેલન ' નું આયોજન કરવામાં આવ્યું - At This Time

ધંધુકાની શ્રી ડી એ શિક્ષણ સંકુલ દ્વારા ‘ વાલી સંમેલન ‘ નું આયોજન કરવામાં આવ્યું


ધંધુકાની શ્રી ડી એ શિક્ષણ સંકુલ દ્વારા ' વાલી સંમેલન ' નું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ જીલ્લા ના ધંધુકાના આર ડી પેટ્રોલ પંપ ની સામે ભાવનગર રોડ પર આવેલ શ્રી ડી એ શિક્ષણ સંકુલ દ્વારા ' વાલી સંમેલન ' નું આયોજન કરવામાં આવ્યું
તેમાં શ્રી ડી એ શિક્ષણ સંકુલ ના ટ્રસ્ટી નારણભાઈ પટેલ તેમજ આચાર્ય શ્રી પ્રદીપ સાહેબ તેમજ શિક્ષણ ગણ તેમજ શાળામાં બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં. શાળાના આચાર્ય અને સ્કૂલના સ્ટાફ ધ્વારા વિચારણા કરવામાં આવી.

શાળામાં થતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે કલા ,શાળા પ્રવેશોતસ્વ,યોગ દિન ,શાળા સલામતી સપ્તાહ, બાળમેળો , પતંગોત્સવ તથા રમત ગમત , ખેલ મહાકુંભ ,જેવા કાર્યક્રમો માં વાલીઓ હાજર રહે ને શાળાને સાથ સહકાર આપે તેના વિષે વાલીઓ ને કહેવામાં આવ્યું .
શાળાનાં આચાર્ય ધ્વારા વિશિષ્ટ જરૂરિયાત વાળા બાળકો ની ચર્ચા કરવામાં આવી .તેવા બાળકો ની જરૂરી સાધન સામગ્રી અને તેના ઉપયોગ ની જાણકારી વાલીઓને આપવામાં આવી.

ત્યારબાદ વાલીઓ સાથે બાળકો માટે ચર્ચા કરવામાં આવી કે તે બાળકો ને નિયમિત શાળાએ મોકલે તેમને અન્ય કામમાં ના મોકલી શાળાએ મોકલે તેમને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરે તથા શિક્ષણ માટે પણ ચર્ચા કરવામાં આવી કે વાલીઓ પણ બાળકોને શિક્ષણ પર પણ ધ્યાન આપે તેમને પણ આગળ ભણવામાં પ્રોત્સાહિત કરે શાળા કક્ષાએ બાળકો અને શાળા ની ભૌતિક જરૂરિયાતો પર ચર્ચા કરવામાં આવી .બાળકો ના શિક્ષણ પર વાલીઓ પુરતું ધ્યાન આપે અને શાળા તથા શાળાના સ્ટાફને વાલીઓ ધ્વારા સહકાર મળી રહે તેવી વાતચીત કરવામાં આવી હતી.

વાલી મીટીંગ ની સાથે સાથે
તારીખ 29 /01/2024 થી 02/02/2024 સુધી લેવાયેલ પુરક પરીક્ષા આપેલ તેના પ્રશ્નો પેપર પણ વાલીઓને દેખાડવામાં આવ્યા હતા.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.