1.20 કરોડની ઉઘરાણી મુદ્દે વેપારીને ઉઠાવી જઇ આઠ શખ્સે હુમલો કર્યો - At This Time

1.20 કરોડની ઉઘરાણી મુદ્દે વેપારીને ઉઠાવી જઇ આઠ શખ્સે હુમલો કર્યો


કોરોનાના સમયમાં શેરબજાર ડાઉન થતા વેપારી 1.20 કરોડ રૂપિયા હારી ગયા હતા

નાણાંની ઉઘરાણી મુદ્દે વેપારીને ઉઠાવી જઇ આઠ શખ્સે માર માર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જોકે બનાવની પોલીસમાં તુરંત જાણ કરવામાં આવતા પોલીસે મોબાઇલ લોકેશનથી અપહૃત વેપારીને મુક્ત કરાવી સૂત્રધાર સહિત ચાર શખ્સને ઝડપી લેવામાં સફળતા મળી છે.

રાજકોટના જવાહર રોડ, શ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા અને વાંકાનેરમાં કરિયાણા અને સિરામિકના ભંગારનો વેપાર કરતા આશિષ નલીનભાઇ કોટેચા નામના વેપારીએ દિવ્યરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ચુડાસમા, કૃષ્ણસિંહ જાડેજા, દિવ્યેશ ઉર્ફે ભૂરો વાઘેલા અને ચાર અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, 2019માં તેનો સંપર્ક શેરબજારનું કામ કરતા દિવ્યરાજસિંહ સાથે થયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.