ચૈત્ર નવરાત્રી પૂર્વે પ્રક્ષાલન વિધિ યોજાશે: ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર 5 એપ્રિલે ભક્તો માતાજીના દર્શન નહીં કરી શકે - At This Time

ચૈત્ર નવરાત્રી પૂર્વે પ્રક્ષાલન વિધિ યોજાશે: ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર 5 એપ્રિલે ભક્તો માતાજીના દર્શન નહીં કરી શકે


આગામી ચૈત્રી નવરાત્રી પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે 5 એપ્રિલે 2024ને શુક્રવારના રોજ પ્રક્ષાલન વિધિ હોવાને લઈને મંદિર બંધ રહેશે. જેને લઈને ભક્તો દર્શન નહીં કરી શકે જે અંગેની જાણકારી મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. આ અંગેની વિગત એવી છે કે, ખેડબ્રહ્મામાં આવેલ અંબિકા માતાજી મંદિરે 5 એપ્રિલના રોજ 9 કલાક મંદિર બંધ રહેશે જેને લઈને ભક્તો માતાજીના દર્શન કરી શકશે નહીં. આ અંગે અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહ રાઠોડે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, અગામી 9 એપ્રિલના રોજ મંગળવારથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. તેને લઈને મંદિરમાં સવારે 8થી સાંજના 5 વાગ્યા દરમિયાન મંદિરમાં પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે જેને લઈને મંદિર બંધ રહેશે. પ્રક્ષાલન વિધિ પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ સાંજે મંદિરમાં આરતી થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.