યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું:આરોપી સકંજામાં - At This Time

યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું:આરોપી સકંજામાં


રાજકોટમાં રહેતી કોલેજીયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી પુનિતનગરની વૃંદાવન સોસાયટીમાં રહેતા પરિણીત શખ્સ જયદેવ રાયધન મૈયડે લગ્ન કરવાની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હોવાની રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.આ અંગે પીએસઆઈ આર.જે.ચારણ સહિતના સ્ટાફે કાર્યવાહી શરૂ કરી છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારા પરીવાર સાથે રહું છું અને કોલેજ માં અભ્યાસ કરું છું.અમે ત્રણ બહેનો તથા મારે ત્રણ ભાઇઓ છીએ.
હું યાજ્ઞીક રોડ પર આવેલી ફાયનાન્સની ઓફીસમાં કામ કરતી હતી.જ્યાં મે 15 દિવસ કામ કર્યું હતું બાદમાં નોકરી મુકી દીધી હતી અને આ દરમિયાન મારી સાથે ત્યા ધ્રુવી કામ કરતી હોય તેની સાથે મારે પરીચય થયો હોય તે મારી બહેનપણી થઇ ગઈ હતી અને મારે ધ્રુવી સાથે ફોનમાં કોન્ટેકટ ચાલુ હોય અને ધ્રુવી સાથે મારે સારા સંબંધ થઇ ગયા હોય તે કોઇ કોઇ વાર મારા ઘરે પણ આવતી હતી.
ત્યારબાદ પાંચેક મહીના પહેલા આ મારી બહેનપણી મારા ઘરે રાત્રીના આશરે આઠેક વાગ્યે આવી ત્યારે તેને મારા ઘર પાસે મુકવા તેનો મીત્ર આવેલ હોય જેથી મે આ છોકરા વિશે પુછતા ધ્રુવીએ મને કહેલ કે આ મારો મીત્ર છે જેનુ જયદેવ આહીર છે તેમ વાત કરી હતી અને બાદમાં આ ધ્રુવીએ મારા મોબાઇલ નંબર જયદેવને આપ્યા હતા.જેને મને વોટસએપ પર મેસેજ કર્યા હતા જ્યાંથી મારે તેની સાથે કોન્ટેક થયો બાદ અમે બંને ફોનમાં વાતચીત કરતા અને અમે પાંચ છ દિવસ ફોનમાં વાતચીત થઈ બાદ આ જયદેવ એ મને કહેલ કે તેના લગ્ન થઇ ગયા હોય અને તેને તેની પત્ની સપના સાથે ભળતું ન હોય જેથી તેની સાથે છુટાછેડા લેવાના હોય તે છેલ્લા એકાદ વર્ષથી રીસામણે તેના પીયર જતી રહી હોવાની વાત કરી હતી.મને વાત કરેલ કે તેના છુટા છેડા થઇ જાય પછી તે મારી સાથે લગ્ન કરી લેશે તેમ મારી સાથે વાતચીત થઈ હતી.
આ જયદેવ રાયધનભાઇ મૈયડ જાહેરાતના બોર્ડ બનાવવાના કોન્ટ્રાકટમાં કામ કરતો હોય અને સારું કમાતો હોય જેથી મારે પણ તેની સાથે લગ્ન કરવા હોય ગઇ તા.11/08/22 ના રોજ સાંજના આ જયદેવનો મારા ફોનમાં ફોન આવ્યો અને મને કહેલ કે તુ મારા ઘરે આવ તેમ કહેતા મે તેને કહેલ મારા ઘરે મહેમાન છે હું ત્યાં નહી આવી શકુ તેમ વાત કરેલ બાદ મને થયેલ કે આ જયદેવના ઘરે હું નહી જાઉ તો તે અહી મારે ઘરે આવી જાઇ તેમ હોય જેથી હું મારા ઘરેથી રીક્ષામાં મવડી ચોકડી આવી જયાથી મેં આ જયદેવને ફોન કરી વાત કરેલ કે હું અહી મવડી ચોકડી પાસે આવી છું.
થોડીવારમાં જયદેવ એકટીવા લઇ આવેલ અને મને કહેલ કે ચાલ મારી સાથે બેસી જા તેમ કહેતા હું તેની સાથે બેસી ગયેલ અને આ જયદેવ તેનું ઘર વૃંદાવન સોસા.શે.નં-2 પુનીતના ટાંકા પાસે હોય ત્યા મને લઇ ગયેલ અને આ જયદેવનું મકાન બે માળનુ હોય તેના ઘરે તેના મમ્મી પપ્પા તથા તેના ભાઇઓ તથા તેના દાદી 2હેતા હોય જયદેવ મને તેના ઘરે લઇ ગયો ત્યારે આશરે સાંજના સાતેક વાગ્યાના સમય થયો હોય અને આ જયદેવ મને તેના ઘરે લઇ ગયેલ ત્યારે તેના ઘરે નીચેના માળે બે રૂમ આવેલ હોય ત્યા કોઇ હાજર ન હતુ અને આ જયદેવના દાદી ઉમર લાયક હોય તે ઉપરના માળે હોય આ દરમિયાન જયદેવએ મને કહેલ કે હું તારી સાથે લગ્ન કરી લઇશ તેમ મને લાલચ આપી અને તેની સાથે શરીરસબંધ બાંધવા મને કહેતા મે તેને કહેલ કે પહેલા આપણા લગ્ન થઇ જાય પછી શરીરસબંધ બાંધશુ તેમ વાત કરતા આ જયદેવ માન્યો નહી અને મારી સાથે પરાણે શરીર સંબંધ બાંધ્યો અને આ જયદેવએ મને તેના ઘરે આશરે અડધી કલાક સુધી રાખી અને મારી સાથે મારી મરજી વિરૂદ્ધ શરીરસંબંધ બાંધ્યો હોય મને બીક લાગતા જયદેવ મને રીક્ષામાં મારા ઘર પાસે જુની જેલ પાસે મુકી જતો રહ્યો હતો.આ અંગે રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા પીએસઆઈ ચારણે જયદેવને સકંજામાં લઈ કાર્યવાહી આદરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.