જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સ્તનપાન જાગૃતતા કાર્યક્રમ ઉજવાયો........ - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સ્તનપાન જાગૃતતા કાર્યક્રમ ઉજવાયો……..


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સ્તનપાન જાગૃતતા કાર્યક્રમ ઉજવાયો........
જાયન્ટ્સ હિંમતનગર સહિયર ગ્રુપ ના પ્રમુખશ્રી ડો રીટાબેન જોશી દ્વારા વિદ્યાનગરી કેમ્પસ, વિદ્યાનગરી હિંમતનગરમાં બીએસસી કોલેજમાં હિંમતનગરના ખ્યાતનામ ગાયનેક ડો દિનેશભાઈ પ્રજાપતિ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી નિમિત્તે માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે સ્તનપાન નું મહત્વ વિશે ખુબ સરસ માહિતી આપી. લગભગ 150 ઉપરાંતની વિદ્યાર્થીનીઓ એ પોતાના સ્વાસ્થ્ય સંબંધી અંગત પ્રશ્નો પૂછીને લાભ મેળવેલ હતો. આ કાર્યક્રમના પ્રોજેક્ટ ડાયરેકટર જાયન્ટ્સ હિંમતનગર સહિયર ગ્રુપના પ્રમુખશ્રી ડો રીટાબેન જોષી હતા. મંત્રી ફાલ્ગુનીબેન અને સહમંત્રી અમીબેન હાજર રહ્યા હતા. સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ હર્ષદભાઈ ત્રિવેદીએ પ્રોગ્રામ કરવા બદલ સહિયર ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.