અમરેલીથી બેટ દ્વારકા અને બેટ દ્વારકાથી અમરેલી નવી બસ શરૂ થશે. જિલ્લાના લોકોને મળશે લાભ : સરકારની જાહેરાતને આવકારતા નાયબ દંડક કૌશિક વેકરિયા - At This Time

અમરેલીથી બેટ દ્વારકા અને બેટ દ્વારકાથી અમરેલી નવી બસ શરૂ થશે. જિલ્લાના લોકોને મળશે લાભ : સરકારની જાહેરાતને આવકારતા નાયબ દંડક કૌશિક વેકરિયા


અમરેલીથી બેટ દ્વારકા અને બેટ દ્વારકાથી અમરેલી નવી બસ શરૂ થશે. જિલ્લાના લોકોને મળશે લાભ : સરકારની જાહેરાતને આવકારતા નાયબ દંડક કૌશિક વેકરિયા

અમરેલી જિલ્લાની પ્રજાને હવેથી બેટ દ્વારકા જવા માટે અમરેલીથી સીધી જ બસસેવાનો લાભ મળશે. વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવી દ્વારા વિધાનસભામાં કરવામાં આવેલી જાહેરાત મુજબ આ બસ અમરેલીથી દરરોજ વહેલી સવારે 5.00 કલાકે ઉપડી બપોરે 2.10 કલાકે બેટ દ્વારકા પહોંચશે. આ બસ અમરેલીથી વાયા આટકોટ, રાજકોટ, જામનગર, ખંભાળિયા, ભાટિયા,દ્વારકા થઈને સિગ્નેચર બ્રિજ પરથી પસાર થઈ બેટ દ્વારકા પહોંચશે. તાજેતરમાં જ આ બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવેલ છે. મુસાફરો આ બ્રિજનો સુંદર નજારો મુસાફરી દરમ્યાન માણી શકશે.બેટ દ્વારકાથી આ બસ બપોરે 2.30 કલાકે ઉપડી વાયા દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, જામનગર, રાજકોટ, આટકોટ થઇ રાત્રિના 11.45 કલાકે અમરેલી પરત પહોચશે.વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની આ જાહેરાતથી આગામી દિવસોમાં આ બસ શરુ થનાર છે. જેનાથી અમરેલી જિલ્લાની ધાર્મિક અને શ્રદ્ધાળુ પ્રજાને એનો લાભ મળનાર હોય, સરકારની આ બસસેવા શરૂ કરવાની જાહેરાતને અમરેલીનાં ધારાસભ્ય અને વિધાનસભા નાયબ દંડક કૌશિક વેકરિયાએ આવકારી અમરેલીની પ્રજા વતી સરકારનો આભાર માનેલ છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.