શહેરા તાલુકાના સેવા સદન ખાતે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું - At This Time

શહેરા તાલુકાના સેવા સદન ખાતે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


શહેરા

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા સ્થાનિક પ્રશ્નોનું વહેલી તકે નિવારણ લાવવા માટે તમામ ભારતમાં મહિનાના ચોથા વારના દિવસે તાલુકા મથકે નિવારણ માટે સ્વાગત કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શહેરા તાલુકામાં પડતર પ્રશ્નો માટે ચોથા બુધવારના દિવસે શહેરા સેવા સદન ખાતે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અરજદારો તેમના પ્રશ્નો લઈ શહેરા સેવા સદનના સભાખંડમાં આવ્યા હતા જેમાં શહેરા મામલતદાર એન.એમ મોદીના અધ્યક્ષ સ્થાને સ્વાગત પ્રોગ્રામ યોજાયો હતો અરજદારો દ્વારા તેમના પ્રશ્નો ની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે શહેરા મામલતદાર દ્વારા તેમના પ્રશ્નોનો વહેલી તકે નિવારણ લાવી સાત જેટલા દિવસમાં તેનો રિપોર્ટ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ,શહેરા નગરપાલિકાના ચીફ ઓફિસર તેજલબેન મુંધવા,શહેરા બ્લોક હેલ્થ ઓફિસર ભરતદાન ગઢવી તથા અન્ય કર્મચારીઓ અને અરજદારો હાજર રહ્યા હતા

રિપોર્ટર વિનોદ પગી
પંચમહાલ શહેરા


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.