એકાદશી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને કાળી-લીલી દ્રાક્ષનો દિવ્ય શણગાર એવં અન્નકૂટ ધરાવવામાં આવ્યો.. - At This Time

એકાદશી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને કાળી-લીલી દ્રાક્ષનો દિવ્ય શણગાર એવં અન્નકૂટ ધરાવવામાં આવ્યો..


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર એકાદશી નિમિત્તે તા.07-03-2024ને ગુરૂવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દ્રાક્ષના વાઘા ધરાવી દાદાના સિંહાસનને લીલી દ્રાક્ષનો શણગાર કરી સવારે 05:45 કલાકે આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી તથા સવારે 07:00 કલાકે લીલી-કાળી ૨૦૦૦ કિલો દ્રાક્ષનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જેના દર્શન-અન્નકૂટ-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.