અદાણી શાંતિગ્રામમાં રહેતાં કંપની માલિકનું અપહરણ કરી ભાડજ સર્કલ 35 હજારની લૂંટ - At This Time

અદાણી શાંતિગ્રામમાં રહેતાં કંપની માલિકનું અપહરણ કરી ભાડજ સર્કલ 35 હજારની લૂંટ


અમદાવાદ,તા.5 જુલાઈ 2022,મંગળવારઅદાણી શાંતિગ્રામ અલીઝીયમમાં રહેતા અને ગોવા સી.સી.આર સોલ્યુશન કંપનીના માલિકનું ભાડજ સર્કલ નજીકથી સોમવારે રાત્રે અપહરણ કરી 5 શખસોએ રૂ.35 હજારની લૂંટ કરી હતી. સોલા પોલીસે મંગળવારે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં બે બાઈક અને એક્ટિવા પર આવેલા આરોપીઓએ અકસ્માતનું નાટક કરી સમગ્ર ઘટનાને આખરીરૂપ આપ્યું હતું. ગોવા સી.સી.આર સોલ્યુશન કંપનીના માલિક મિલિંદ દૌલત દત્તાત્રેય હલદનકરએ સોલા પોકિસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જે મુજબ સોમવારે રાત્રીના 1 વાગ્યે ફરિયાદી તેઓની કારમાં અદાણી શાંતિગ્રામ ખાતે આવેલા ઘર તરફ જતા હતા. તે સમયે 5 આરોપીઓ બે બાઈક અને એક્ટિવા પર આવ્યા હતા. એક આરોપીએ ફરિયાદીની કાર સાથે જાણી જોઈ બાઈક અથડાવી અકસ્માત કર્યો હતો. ફરિયાદીએ કાર ઉભી રાખતા પાંચે આરોપીઓએ મારઝૂડ કરી હતી. ફરિયાદીને કારમાં જબરજસ્ત બેસાડી બે આરોપીઓ ગાડીમાં બેસી ગયા હતા. અન્ય ત્રણ જણા ટુ વ્હીલરો લઈ કારની જોડે જોડે આવતા હતા. રસ્તામાં આરોપીઓએ ચાકુ બતાવી રૂ.35 હજારની લૂંટ ચલાવી તેમજ ફરિયાદીના એટીએમ કાર્ડથી પૈસા ઉપાડવા માટે કારમાં ફરી રહ્યા હતા. દરમિયાન રસ્તામાં ફરિયાદી એક આરોપીને ધક્કો મારી રોડ પર દોડ્યા અને બચાવ માટે બુમો પાડી હતી. તે સમયે એક કારમાં અન્ય ચાર જણા આવતા આરોપીઓ ભાગી ગયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.