બોટાદ PGVCL : ૩-ટાયર સેટલમેન્ટ કમિટી દ્વારા ૧૯ અરજદારો પૈકી ૧૭ અરજદારોના કેસનું સુખદ સમાધાન કરાયું - At This Time

બોટાદ PGVCL : ૩-ટાયર સેટલમેન્ટ કમિટી દ્વારા ૧૯ અરજદારો પૈકી ૧૭ અરજદારોના કેસનું સુખદ સમાધાન કરાયું


લેણી રકમ રૂ.૧.૯૦ લાખ પૈકી તેઓને નિયમોનુસાર રૂ.૦.૪૬ લાખનું લેણું માફ કરી તેમની સામેના કોર્ટ કેસ પરત ખેચવાની કામગીરી હાથ ધરી સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું

તા.૦૬: બોટાદ PGVCL નિગમિત કચેરી દ્વારા ગ્રાહકોના કોર્ટ કેસના ઝડપી નિકાલ માટે જે તે લાગુ પડતી વર્તુળ કચેરી ખાતે ૩-ટાયર સેટલમેન્ટ કમિટીની રચના કરવામાં આવી છે, જે અંતર્ગત તા.૩૦/૦૮/૨૦૨૨ ના રોજ બોટાદ વર્તુળ કચેરી ખાતે બેઠક યોજી કુલ-૨૫ અરજદારોને સદર કોર્ટ કેસના સમાધાન માટે આમંત્રિત કરાયાં હતાં જે પૈકી ૧૯ અરજદારો આ યોજનાનો લાભ લેવા ઉપસ્થિત રહ્યાં હતાં જેમાથી ૧૭ અરજદારોના કેસનું સુખદ સમાધાન કરી તેમની કુલ લેણી રકમ રૂ.૧.૯૦ લાખ પૈકી તેઓને નિયમોનુસાર રૂ.૦.૪૬ લાખનું લેણું માફ કરી તેમની સામેના કોર્ટ કેસ પરત ખેચવાની કામગીરી હાથ ધરી સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

વધુમાં PGVCL દ્વારા ગ્રાહકોના હિતને ધ્યાનમાં લઈ પડતર કોર્ટ કેસોના નિકાલ કરવાના આશ્રયથી દર મહિને આ રીતની બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હવે પછીની આગામી બેઠક સંભવિત તા.૨૦/૦૯/૨૦૨૨ ના રોજ આયોજીત થાય તેવા પ્રયત્નો હાથ ધરેલ છે. આ માટે બોટાદ જીલ્લાના ગ્રાહકોને તેમના પડતર કોર્ટ કેસના નિકાલ માટે તથા નિયમોનુસાર આર્થિક વળતર મેળવવા સંબંધિત લાગુ પડતી કચેરીનો સંપર્ક કરવા PGVCL ના અધિક્ષક ઇજનેરશ્રી આર.જી.ગોવાણી તરફથી અખબારી યાદી દ્વારા જણાવાયું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.