દૂધસાગર મેઈન રોડ પર ગૃહ કંકાસથી કંટાળી પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું - At This Time

દૂધસાગર મેઈન રોડ પર ગૃહ કંકાસથી કંટાળી પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું


રાજકોટ: તા.22 : દૂધસાગર મેઈન રોડ પર રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં બે માળીયા ક્વાર્ટરમાં રહેતાં રોશનબેન અલતાફભાઈ કરિયા(ઉ.વ.32) એ પોતાના ઘરે પંખાના હુકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે પરિવારને જાણ થતાં સારવારમાં અત્રેની સિવિલે ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કર્યા હતાં.બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતાં પીએસઆઇ જી.એસ.ગઢવી ટીમ સાથે દોડી ગયા હતાં અને કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મૃતકના બે વર્ષ પહેલાં લગ્ન થયેલ હતાં અને ઘણા સમયથી તેમના પતિ સાથે રૂપિયા મામલે ઝઘડો થતાં ગૃહકંકાશથી કંટાળી પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.