બોટાદના BAPS સ્વામિનારાયણ સંસ્કારધામ અશોકવાટિકામાં ફ્રી હોમિયોપેથીક નિદાન કેમ્પ યોજાયો - At This Time

બોટાદના BAPS સ્વામિનારાયણ સંસ્કારધામ અશોકવાટિકામાં ફ્રી હોમિયોપેથીક નિદાન કેમ્પ યોજાયો


બોટાદના BAPS સ્વામિનારાયણ સંસ્કારધામ અશોકવાટિકામાં ફ્રી હોમિયોપેથીક નિદાન કેમ્પ યોજાયો

બોટાદના પાળીયાદ રોડ પર આવેલ અશોકવાટિકા વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ BAPS સંસ્કારધામ ખાતે નિયામક આયુષની કચેરી-ગાંધીનગરની સૂચના અને બોટાદ જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ BAPS સ્વામિનારાયણ મંદિર તથા સરકારી હોમીયોપેથીક ઓપીડી જનરલ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં
બોટાદની જનરલ હોસ્પિટલ હોમિયોપેથીક ઓપીડી,મેડિકલ ઓફિસર ડૉ.સંગીતા દેસાઈ દ્વારા સેવા આપવામાં આવી હતી.આ કેમ્પમાં બહોળી સંખ્યામાં વિસ્તારના રહીશો એ ભાગ લીધો હતો.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.