મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ચાલતા કેન્દ્રોમાં સંચાલકની જગ્યા ભરવા બરવાળા મામલતદાર કચેરી દ્વારા અરજીઓ મંગાવાઈ - At This Time

મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ચાલતા કેન્દ્રોમાં સંચાલકની જગ્યા ભરવા બરવાળા મામલતદાર કચેરી દ્વારા અરજીઓ મંગાવાઈ


મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ચાલતા કેન્દ્રોમાં સંચાલકની જગ્યા ભરવા બરવાળા મામલતદાર કચેરી દ્વારા અરજીઓ મંગાવાઈ

બરવાળા તાલુકાની કુંડળ પ્રાથમિક શાળા (કેન્દ્ર નંબર-૧૦) માટે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ચાલતા કેન્દ્રોમાં ખાલી પડતી કેન્દ્ર સંચાલકોની જગ્યા ભરવાની થાય છે. આ જગ્યા માટે તા.૦૬/૦૫/૨૦૨૩ થી તા.૧૫/૦૫/૨૦૨૩ સુધીમાં નિયત નમુનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી બરવાળા, મધ્યાહન ભોજન યોજના શાખા ખાતે કચેરી સમય દરમ્યાન જાહેર રજાના દિવસો સિવાય વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે તેમજ સ્વીકારવામાં આવશે.

ઉપરોક્ત ભરવાની થતી જગ્યા માટે લઘુતમ વયમર્યાદા-૨૦ વર્ષ અને મહત્તમ વય મર્યાદા-૬૦ વર્ષની નક્કી કરવામાં આવેલ છે.તેમજ શૈક્ષણિક લાયકાત ધોરણ – ૧૦ પાસ કે તેથી વધુની રહેશે.સરકારશ્રીના ઠરાવ મુજબ અગ્રતાક્રમ મુજબ નિમણૂંક આપવામાં આવશે તેમ, બરવાળા મામલતદારની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.