બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટાસડા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતેથી સિકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો પ્રારંભ,માતા મૃત્યુદર, નવજાત શિશુ મૃત્યુદર અને કુપોષણ મુક્ત સમાજના નિર્માણ માટે આપણે સંકલ્પબદ્ધ બનીએ:આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jpjkgevj1yyallds/" left="-10"]

બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટાસડા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતેથી સિકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો પ્રારંભ,માતા મૃત્યુદર, નવજાત શિશુ મૃત્યુદર અને કુપોષણ મુક્ત સમાજના નિર્માણ માટે આપણે સંકલ્પબદ્ધ બનીએ:આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ


બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટાસડા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતેથી સિકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો પ્રારંભ,માતા મૃત્યુદર, નવજાત શિશુ મૃત્યુદર અને કુપોષણ મુક્ત સમાજના નિર્માણ માટે આપણે સંકલ્પબદ્ધ બનીએ:આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

સિકલસેલ ડીસીઝના દર્દીઓ અને પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને મંત્રી ના હસ્તે કાર્ડ અર્પણ કરાયા

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે “રાષ્ટ્રીય સીક્લ સેલ એનિમિયા નાબૂદી મિશન- ૨૦૪૭” નો મધ્યપ્રદેશના સહડોલ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાનએ દેશને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યુ હતું.
આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટાસડા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સિકલસેલ ડીસીઝના દર્દીઓ અને પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને કાર્ડ અર્પણ કરી સીક્લસેલ એનિમિયા નાબૂદી મિશન-૨૦૪૭ નો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે સામાન્ય કાર્યકર્તા હતા એ સમયે દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન સિકલ સેલ એનિમિયા નામનો રોગ તેમના ધ્યાને આવ્યો હતો. આ વંશ પરંપરાગત રોગના નિર્મૂલન માટે આજે વડાપ્રધાનએ મધ્યપ્રદેશથી સિકલ સેલ એનિમિયા નિર્મૂલન કાર્યક્રમની શરૂઆત કરાવી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશની નવી ઉંચાઇએ લઈ જઈ રહ્યા છે ત્યારે ટી.બી., મેલેરિયા જેવા રોગોને ભારતમાંથી દૂર કરવાનો વડાપ્રધાનએ નિર્ધાર કર્યો છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, આરોગ્ય અને શિક્ષણની જવાબદારી સરકારની સાથે સાથે સમાજની પણ છે ત્યારે માતા મૃત્યુદર, નવજાત શિશુ મૃત્યુદર અને કુપોષણ મુક્ત સમાજના નિર્માણ માટે આપણે સંકલ્પબદ્ધ બનીએ. મારું ગામ કુપોષણ મુક્ત ગામ બને તે દિશામાં વિશેષ પ્રયત્નો કરવા મંત્રીએ અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવિણભાઈ માળી, કલેકટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, અગ્રણીઓ સર્વ જયરાજસિંહ પરમાર, શ્રી એલ. કે. બારડ,પ્રવિણસિંહ રાણા,અમરતજી ઠાકોર, સંયુક્ત આરોગ્ય નિયામક ડૉ. જે. આર. પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીડૉ. જયેશ પટેલ સહિત અધિકારીઓ- પદાધિકારીઓ, સિકલ સેલ એનિમિયાના લાભાર્થીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા
9974645761


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]